અમદાવાદના સાણંદ, બાવળા અને ધોળકાના ખેડૂતોને સરકાર ખેતી માટે પાણી ન આપતી હોવાનો આરોપ છે. ત્યારે બાવળાના ખેડૂતોએ સાણંદ અને ધોળકાના અન્ય ખેડૂતોનો સંપર્ક કરીને વાસણા ગામે બેઠક કરી હતી. અને આગામી દિવસોમાં પાણી માટે મહાપંચાયતનું આયોજન કરવાનું નક્કી કરાયું હતુ.અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા ડેમમાં પાણીના જથ્થાનો પુરતો સંગ્રહ ન થયો હોવાનું બહાનુ આગળ કરીને સરકાર દ્વારા આગામી ઉનાળુ પાકની સિંચાઇ માટે પાણી નહીં આ૫વાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેવા સમયે હવે ગામડાના ખેડૂતો એક થઇને સરકાર સામે મોરચો માંડવાના મુડમાં આવી ગયા છે.
પાછલી પોસ્ટ