Aapnu Gujarat
ગુજરાત

પાણી માટે મળશે મહાપંચાયત : સાણંદ, બાવળા, ધોળકાના ખેડૂતોનો રણટંકાર

અમદાવાદના સાણંદ, બાવળા અને ધોળકાના ખેડૂતોને સરકાર ખેતી માટે પાણી ન આપતી હોવાનો આરોપ છે. ત્યારે બાવળાના ખેડૂતોએ સાણંદ અને ધોળકાના અન્ય ખેડૂતોનો સંપર્ક કરીને વાસણા ગામે બેઠક કરી હતી. અને આગામી દિવસોમાં પાણી માટે મહાપંચાયતનું આયોજન કરવાનું નક્કી કરાયું હતુ.અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા ડેમમાં પાણીના જથ્થાનો પુરતો સંગ્રહ ન થયો હોવાનું બહાનુ આગળ કરીને સરકાર દ્વારા આગામી ઉનાળુ પાકની સિંચાઇ માટે પાણી નહીં આ૫વાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેવા સમયે હવે ગામડાના ખેડૂતો એક થઇને સરકાર સામે મોરચો માંડવાના મુડમાં આવી ગયા છે.

Related posts

CM Rupani prayed for prosperity and well-being of people at Ambaji temple on Vikram Samvat New Year

editor

નાયબ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં બોટાદ જિલ્લાની સમીક્ષા બેઠક

editor

સુરતમાં ધો.૧૦ની વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1