ગુજરાતમાં છાસવારે આત્મહત્યાના કિસ્સાઓ બનતા રહે છે. આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો છે. જેમાં ધોરણ ૧૦ વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી પ્રમાણે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી કર્મયોગી નંબર ૩ સોસાયટીમાં ડિમ્પલ ચૌરસીયા પરિવાર સાથે રહે છે. ડિમ્પલની ઉંમર આશરે ૧૬થી ૧૭ વર્ષની છે. તેણીની ક્રિષ્નરાજ વિદ્યાલયમાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતી હતી. ડિમ્પલે કોઇ કારણોસર બુધવારે મોડી રાત્રે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું.
પરિવારને આ અંગે જાણ થતાં જ પોલીસ પાંડેસરા પોલીસની એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે સ્થળ ઉપર પહોંચીને પ્રાથમિક તપાસ હાથધરી છે. જોકે, ડિમ્પલની આત્મહત્યા પાછળનું કોઇ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પોલીસ તપાસ બાદ જ તેની આત્મહત્યાનું કારણ જાણવા મળશે.
પાછલી પોસ્ટ