બોલિવૂડ સ્ટાર જોન અબ્રાહમની ફિલ્મ પરમાણુ આગામી માસમાં રિલીઝ થશે. આ ફિલ્મની રિલીઝ ડેટ છેલ્લા ઘણા સમયથી બદલ બદલ થયા બાદ ફાઇનલ થઈ છે. જો કે આ ફિલ્મ રિલીઝ થશે તે પહેલા તેનું સ્પેશિયલ સ્ક્રીનીંગ યોજાશે. આ સ્કીનીંગમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી પહેલા ફિલ્મ જોશે. જોન અબ્રાહમની ફિલ્મ પરમાણુ છેલ્લા ઘણા સમયથી રિલીઝ માટે તૈયાર છે પરંતુ કેટલાક કારણોસર તેની રિલીઝ ડેટ ફાઇનલ થઈ ન હતી. પરંતુ હવે પરમાણુ ફિલ્મ ૨૩ ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાની છે. પરંતુ ૨૩ તારીખ પહેલા ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનીંગ યોજાશે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ પોખરણ પર આધારિત છે.પરમાણુ ફિલ્મ પર કામ શરૂ કરતાં પહેલા જોન અબ્રાહમે રિસર્ચ કર્યુ હતુ. અગાઉ આ ફિલ્મ માટે શત્રુઘ્ન સિન્હાએ નિવેદન આપ્યુ હતુ કે આ ફિલ્મ ભારતની રાજનીતિના ઈતિહાસની મહત્વની વાતોને ઉજાગર કરશે. શત્રુઘ્ને આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની અપીલ પણ કરી હતી.