Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ત્રિપલ તલાક અંગે રાજ્યસભામાં હોબાળો : કાર્યવાહી મુલતવી

લોકસભામાં ત્રિપલ તલાક બિલ પાસ કરવામાં આવ્યા બાદ સરકાર માટે રાજ્યસભામાં આ બિલ પાસ કરવાની બાબત મુશ્કેલ દેખાઈ રહી છે. આજે ગુરુવારના દિવસે પણ ત્રિપલ તલાકના મુદ્દે રાજ્યસભામાં ભારે ધાંધલ ધમાલ થઇ હતી. કોંગ્રેસ ત્રિપલ તલાક બિલને સિલેક્ટ કમિટિને મોકલવાની માંગ ઉપર મક્કમ બનેલી છે. બીજી બાજુ સરકાર શિયાળુ સત્રમાં આ બિલને પાસ કરવાની ઇચ્છા ધરાવે છે. ભારે ધાંધલ ધમાલ બાદ આજે કાર્યવાહી શુક્રવાર સુધી મોકૂફ કરી દેવામાં આવી હતી. સિલેક્ટ કમિટિમાં બિલને મોકલવાની માંગ ઉપર જેટલીએ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, સિલેક્ટ કમિટિમાં મોકલવાનો પ્રસ્તાવ મોડેથી આવ્યો છે. કોંગ્રેસના નેતા ગુલાબ નબી આઝાદે કહ્યું હતું કે, અમે બિલની તરફેણમાં છીએ પરંતુ તેમા મહિલા વિરોધી જોગવાઈનો વિરોધ કરી રહ્યા છે. લોકસભામાં બિલને પસાર કરવામાં સફળ રહેલી મોદી સરકાર માટે રાજ્યસભામાં કોંગ્રેસ પાર્ટીએ અડચણો ઉભી કરી દીધી છે. કોંગ્રેસ સહિત વિપક્ષ આ બિલને સિલેક્ટ કમિટિમાં મોકલવાની માંગ ઉપર અડી ગયા છે. સરકાર વિપક્ષની આ માંગ ઉપર તૈયાર નથી. ભારે ધાંધલ ધમાલની સ્થિતિ વચ્ચે રાજ્યસભાની કાર્યવાહી આજે દિવસ દરમિયાન મોકૂફ કરી દેવામાં આવી હતી. ગઇકાલે કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદે રાજ્યસભામાં ત્રિપલ તલાક બિલ રજૂ કર્યું હતું અને ચર્ચા શરૂ કરી હતી. પ્રસાદે કહ્યું હતું કે, લોકસભામાં આ બિલ પાસ થયા બાદ દેશમાં ત્રિપલ તલાકના મામલા સપાટી ઉપર આવી રહ્યા છે. કોંગ્રેસના સાંસદ આનંદ શર્માએ ધાંધલ ધમાલ વચ્ચે બિલને સિલેક્ટ કમિટિમાં મોકલવા માટે નોટિસ રજૂ કરી હતી. સિલેક્ટ કમિટિના સભ્યોના નામ પણ સુચવ્યા હતા. કોંગ્રેસ ઉપરાંત, સમાજવાદી પાર્ટી, સીપીઆઈ, ડીએમકે, એનસીપી અને અન્ય વિરોધ પક્ષોએ બિલને સિલેક્ટ કમિટિમાં મોકલવાની રજૂઆત કરી હતી. જો કે, સરકારે વિપક્ષની આ માંગને ફગાવી દીધી હતી. કપિલ સિબ્બલ અરુણ જેટલી ઉપર પ્રહાર કહી ચુક્યા છે કે, સુપ્રીમ કોર્ટના જે ચુકાદાની તેઓ વાત કરી રહ્યા છે. ત્યાં પણ મુસ્લિમ પર્સનલ લો બોર્ડના વકીલ ઉપસ્થિત હતા. આવતીકાલે હવે ફરી આના પર મામલો આગળ વધે તેવી શક્યતા છે. રાજ્યસભામાં બહુમતિ ન હોવાના કારણે સરકાર હવે વિપક્ષને મનાવવા માટેના પ્રયાસમાં લાગેલી છે. બિલમાં કેટલીક ગંભીરત જોગવાઇ કરવામાં આવી છે. સર્વસંમતિના પ્રયાસમાં સફળતા મળે તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે કારણકે રાજ્યસભામાં આ બિલ રજૂ કરવામાં આવશે ત્યારે કોંગ્રેસ પાર્ટી તરફથી અપરાધને જામીનપાત્ર બનાવવા માટેની માંગ કરવામાં આવે તેવી શક્યતા છે. મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે ત્રિપલ તલાકના મુદ્દે સરકારનુ સમર્થન તો કર્યુ છે પરંતુ તે કેટલીક અન્ય રજૂઆત કરવા માટે ઇચ્છુક છે. કોંગ્રેસે કેટલીક ખામી પણ ગણાવી છે. કોંગ્રેસ ઇચ્છે છે કે બિલમાં એક વખત ત્રણ વખત તલાક કહેનારને અપરાધ ગણાવનાર ક્લોઝને દુર કરી દેવામાં આવે. સાથે સાથે અપરાધને જામીનપાત્ર બનાવવામાં આવે તેવી માંગ પણ કરે તેવી શક્યતા છે. તમામ લોકો જાણે છે કે લોકસભામાં પાસ કરવામાં આવેલા બિલમાં એક વખતમાં ત્રણ વખત તલાક કહેનારને ગેરકાયદે ગણાવવાની વાત થઇ છે.

Related posts

मुख्यमंत्री गहलोत एक महीने तक किसी से नहीं मिलेंगे

editor

20 साल में 300 से ज्यादा विदेशी सैटेलाइट्स को इसरो ने किया लॉन्च

aapnugujarat

બેન્કે પોતાની ભૂલો છૂપાવવા માટે ગીતાંજલિ જેમ્સને બરબાદ કરી : મેહુલ ચોક્સી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1