Aapnu Gujarat
Uncategorized

નાણાં વિભાગનો કાર્યભાર સંભાળતા પહેલા સૌરભ પટેલ પહોંચ્યાં સાળંગપુર દર્શન કરવા

રાજ્યની નવી સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે ઉર્જા તેમજ નાણા પ્રધાન બન્યા બાદ સૌરભ પટેલ પ્રથમ વખત બોટાદના સાળંગપુર ખાતે બાપ્સ તેમજ હનુમાનજી મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા.
તાજેતરમાં યોજાયેલ ગુજરાત વિધાનસભાનીચૂંટણીમાં ફરી પાછી ભાજપની જીત થતા ગુજરાતમાં ભગવો લહેરાયો અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી તેમજ ડેપ્યુટી સી.એમ. તરીકે નીતિન પટેલની વરણી થયા બાદ નવા મંત્રી મંડળની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કેબિનેટ મંત્રી તરીકે બોટાદ ૧૦૭ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય સૌરભ પટેલની પસદગી કરવામાં આવી. સૌરભ પટેલને ઉર્જા તેમજ નાણા ખાતું ગઈકાલે સોંપવામાં આવ્યું હતું. જેના બાદ આજે સૌરભ પટેલ પ્રથમવાર બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે આવેલ બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર તેમજ હનુમાનજી મંદિર ખાતે દર્શન કરવા પહોંચ્યા હતા. આ પ્રંસગે જિલ્લા સંગઠનના કાર્યકરો તેમજ સંતો મહંતો ખાસ હાજર રહ્યા હતા.

Related posts

ગીર સોમનાથ : આશાવર્કર બહેનોએ દેખાવો કર્યા

aapnugujarat

ડભોઇ તાલુકાના બહેરામપૂરા ગામે આવેલ વણકર ફળિયા વિસ્તારમાં એક સાથે 3 મકાનમાં ભીષણ આગ

editor

Gujarat govt decided to go ahead with Navratri vacation in schools and colleges this year

aapnugujarat

Leave a Comment

UA-96247877-1