Aapnu Gujarat
રાષ્ટ્રીય

હૈદરાબાદમાં ભરબજારે ૨૪ વર્ષીય યુવતી પર કેરોસીન છાંટી જીવતી સળગાવી

હેદરાબાદનાં સિકંદરાબાદથી એક ખતરનાક ઘટના સામે આવી છે. ૨૪ વર્ષિય યુવતીને ગુરૂવારની સાંજે એક વ્યક્તિએ જાહેરમાં સળગાવી દીધી હતી. આજે તે યુવતીનું મોત થઇ ગય ગયું છે. મહિલાને આગ ચાંપનાર વ્યક્તિ તેનો પૂર્વ સંબંધી છે જે હંમેશા તેનો પીછો કરતો રહેતો હતો.
નાયબ પોલીસ કમિશનર (ઉત્તર ક્ષેત્ર) બી સુમાથીએ જણાવ્યુ કે, મહિલાનું સિકંદરાબાદનાં ગાંધી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. જેનું આજ સવારે સાત વાગે મોત નિપજ્યું છે. ઘટના બાદથી ફરાર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.પોલીસે જણાવ્યું કે, સંધ્યા રાની મહિલા એક એલ્યૂમિનિયમ નિર્માણ કંપનીમાં રિસેપ્શનિસ્ટનું કામ કરતી હતી. પારંભિક તપાસ અનુસાર લગભગ ૨૮ વર્ષિય એક વ્યક્તિએ ગઇ કાલ સાંજે મહિલાને લાલગુડા વિસ્તારમાં બોલાવી હતી. તે સ્થાન કંપનીથી ૧૦ કિલોમીટર દૂર છે, પોલીસે વધુંમાં જણાવ્યું કે, જ્યારે મહિલા ત્યાં પહોંચી, વ્યક્તિએ અચાનક તેના પર કેરોસિન નાંખીને તેને આગ લગાવી દીધી.જોકે, ઘટનાસ્થળ પાસે પ્રસાર થતા લોકોએ મહિલાનો અવાજ સાંભળતા તેની પાસે પહોંચ્યા હતાં અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. પરંતુ ત્યાં સુધીમાં મહિલા ૬૦ ટકા સળગી ગઇ હતી. બાદમાં તેને હોસ્પિટલામાં લઇ જવાઇ હતી. જેનું આજે અવસાન થઇ ગયુ છે. પોલીસે પહેલા કલમ ૩૦૭ (હત્યાનો પ્રયાસ) કરવાની કલમ આ મામલામા દાખલ કરી હતી. પરંતુ પોલીસ હવે કલમમાં ફેરફાર કરી રહી છે.એક પોલીસ અધિકારીએ જણાવ્યુ કે, આ વ્યક્તિ મહિલાને પ્રેમ કરતો હતો અને તેને પરેશાન પણ કરતો હતો. પરંતુ મહિલાએ ક્યારેય પોતાના પરિવારજનોને આ વિસે જણાવ્યુ નહી અને ક્યારેય તેમ પણ કહ્યું નહી કે તે વ્યક્તિ તેને પરેશાન કરી રહ્યો છે.

Related posts

दिल्ली हाई कोर्ट ने एयर इंडिया विनिवेश पर जवाब माँगा

aapnugujarat

યુપીની ચૂંટણી માટે કેજરીવાલ અપના દલ સાથે હાથ મિલાવશે

aapnugujarat

दिल्ली में टला बाढ़ का संकट, खतरे के निशान से नीचे आई यमुना

aapnugujarat

Leave a Comment

UA-96247877-1