Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

યુપીની ચૂંટણી માટે કેજરીવાલ અપના દલ સાથે હાથ મિલાવશે

આમ આદમી પાર્ટીએ કરેલી સત્તાવાર ઘોષણા અનુસાર તે કૃષ્ણા પટેલની આગેવાનીવાળા અપના દલ સાથે ગઠબંધન કરી અને યૂપીની ચૂંટણીમાં ૮૦ બેઠકો પર ચૂંટણી જંગ ખેલશે. પરંતુ ગત વર્ષની જેમ આ વર્ષે પાર્ટીના મુખ્ય નેતા અરવિંદ કેજરીવાલ વારાણસી બેઠક પરથી ઉમેદવારી નહીં નોંધાવે. આપના રાજ્યસભાના સાંસદ સંજય સિંહએ જણાવ્યાનુસાર ફેબ્રુઆરીના અંત સુધીમાં બેઠક અને તેના ઉમેદવારો અંગે નિર્ણય લેવાય જાશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કેજરીવાલે ક્યારેય કહ્યું નથી કે તે લોકસભાની ચૂંટણી લડશે. તે દિલ્હીના મુખ્યમંત્રી છે અને ૨૦૧૯માં લોકસભાની રેસમાં ઉતરવાની તેમની કોઈ યોજના નથી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પાર્ટી ઉત્તર પ્રદેશના સંસદીય ક્ષેત્રોમાં પોતાના ઉમેદવાર ઉતારશે જ્યાં તેમનું સંગઠન મજબૂત છે.

Related posts

ચંદા કોચર અને તેમનાં પરિવાર પર અમેરિકન સંસ્થાઓની નજર

aapnugujarat

રાજ્યોના વિષયમાં દખલ કરવા કેન્દ્ર ઉપર ચંદ્રાબાબુ નાયડુનો આક્ષેપ

aapnugujarat

મોદીની નીતિથી કાશ્મીરમાં ત્રાસવાદીઓને ખુલ્લો દોર : રાહુલ ગાંધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1