ક્યારેક નર્મદાની કેનાલમાં ભંગાણ પડવાથી તો ક્યારેક વારંવાર પડતા ભંગાણના કારણે નર્મદાના પાણીનો જથ્થો બંધ કરી દેવાથી ખેડૂતોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. બનાસકાંઠા અને તાપી જિલ્લામાં આવી જ સ્થિતીનું નિર્માણ થયું છે. તાપી અને બનાસકાંઠા જિલ્લામાં બનાસકાંઠામાં નર્મદા કેનાલમાં પડેલા ભંગાણના રિપેરીંગ કામ માટે તંત્રએ કેનાલમાં પાણી નહીં છોડવાનો નિર્ણય કર્યો છે. જેને કારણે ૨૫ તારીખથી ૫ જાન્યુઆરી સુધી પાણી ન મળતાં ખેડૂતોની મુશ્કેલી વધી શકે છે તો તાપીમાં પણ ૨૦ ડિસેમ્બરથી ૮ ફેબ્રુઆરી સુધી કેનાલની સાફસફાઇ અને મરામતના કારણે નહેર બંધ રહેવાની છે. જેના કારણે વ્યારા સહિતના ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી શકે છે.