ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી કરવા માટે પહોંચેલી પ્રિયંકા ચોપડાએ સાફ શબ્દોમાં કહ્યુ છે કે જો તેના લાયક યોગ્ય પાર્ટનર મળશે તો લગ્ન કરી લેશે. તે હાલમાં પોતાની બોલિવુડ અને હોલિવુડમાં સફળતાને લઇને ભારે ખુશ છે. પ્રિયંકા ચોપડાએ માહિતી આપતા કહ્યુ છે કે તે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્નને લઇને ખુશ છે. બન્નેને તે શુભેચ્છા પાઠવી ચુકી છે. હોલિવુડથી હાલમાં મુંબઉ પહોંચેલી પ્રિયંકા ચોપડાએ વિગત આપતા કહ્યુ છે કે યોગ્ય પાર્ટનરની તે શોધમાં છે. એક એવોર્ડ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચેલી પ્રિયંકા ચોપડાનુ રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. પ્રિયંકા ચોપડાએ કહ્યુ છે કે તેને હજુ સુધી તેના લાયક પાત્ર મળ્યો નથી. પ્રિયંકા કહે છે કે લગ્નના પ્રશ્નને જેમ તેમ પુછી લેવાની કોઇ જરૂર નથી. તે હાલમાં યોગ્ય સાથીની શોધમાં છે. લગ્ન કોઇ પ્લાન કરીને કરવાની ચીજ નથી. યોગ્ય પાત્ર મળી જશે તો તે લગ્ન કરી લેશે. પદ્માવતિ ફિલ્મની રજૂઆત અટવાઇ ગયા બાદ તમામ કલાકારો પોત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. સંજય લીલાની ફિલ્મને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. તેનુ કહેવુ છે કે તે સંજય લીલાની મોટી ચાહક તરીકે છે. તેનુ કહેવુ છે કે તે દિપિકા, રણવીર અને શાહીદ કપુરને પણ ફિલ્મને લઇને ટેકો આપે છે. પ્રિયંકા ચોપડાએ કહ્યુ છે કે તે ટુંક સમયમાં જ હોલિવુડના ટીવી શો ક્વાન્ટિકોની આગામી સિઝનમાં પણ નજરે પડનાર છે. બોલિવુડમાં કેટલીક ફિલ્મોને લઇને વાત ચાલી રહી છે. તેને લઇને ટુંક સમયમાં જ જાહેરાત કરવામાં આવનાર છે. પ્રિયંકા સેલિબ્રિટી તરીકે ઉભરી છે.