રાજકોટ પશ્વિમ વિધાનસભા મતવિસ્તાર પરથી ભાજપના ઉમેદવાર તરીકે નામાંકન કરતાં પહેલાં યોજાયેલી સભા પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ભાજપ ફક્ત વિકાસમાં માને છે. જ્યારે કોંગ્રેસ ૪૫ વર્ષમાં કશું નથી કરી શકી અને હવે વિકાસની મજાક ઉડાવી રહી છે. તેમણે આક્રામક સ્વરે જણાવ્યું હતું કે, ભાજપ માટે વિકાસ એ મિજાજ છે. જ્યારે કોંગ્રેસ માટે વિકાસ એ મજાક છે. તેમણે કહ્યું હતું કે, આગામી ચૂંટણીમાં પ્રજા કોંગ્રેસના મૂળીયા ઉખેડી નાંખશે અને કોંગ્રેસ મુક્ત ગુજરાતના એટલે કે ગરીબી, શોષણ, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની દિશામાં ભાજપ પ્રજાના સહયોગથી આગળ વધતું રહેશે. ગુજરાતની આગામી ચૂંટણી માટે રાજકોટની બેઠક માટેના ભાજપના ઉમેદવાર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિજય મૂર્હુતમાં નામાંકન ભર્યું હોઈ સમગ્ર કાર્યક્રમનો માહોલ વિજયોત્સવ જેવો થઈ ગયો હતો. ગુજરાતના ચૂંટણી પ્રભારી અને કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વિધાનસભા મતવિસ્તાર ૬૯ રાજકોટ પશ્વિમ માટે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉમેદવારીપત્ર ભર્યું એ અવસર ફક્ત રાજકીય નહીં પરંતુ સામાજિક, ધાર્મિક લોકો માટે પણ રૂડો બની ગ્યો હતો. રાજકોટમાં મોટા થયેલા, રાજકોટના વિકાસમાં જેમનો મહત્વનો ફાળો રહ્યો એવા વિજય રૂપાણીને શુભેચ્છા આપવા ભાજપા અને જનસંઘના હજારો કાર્યકર ભાઈઓ-બહેનો અને પ્રજાજનો તો એકઠા થયા જ હતા પણ સોના માં સુગંધ તો ત્યારે ભળી કે રાજકોટના વિવિધ ધર્મસ્થાનો, મંદિરો, સંસ્થાઓ, સમ્પ્રદાયોના સંતો, સાધુઓ મહંતો પણ આ અવસરે ઉપસ્થિત રહા હતા અને એમણે વિજય રૂપાણીને સફળતા માટે ખોબે ખોબે આશીર્વાદ આપ્યા હતા.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ