એક ખાનગી સમાચાર ચેનલે દાવો કર્યો છે કે, પાકિસ્તાનની જાસૂસી એજન્સી આઇએસઆઇના પ્રમુખ લેફ્ટનેન્ટ જનરલ નાવેદ મુખ્તાર અને પાકિસ્તાની સેનાના પ્રતિનિધિએ ગત મહિને આતંકવાદીઓ સાથે મુલાકાત કરી હતી.
સૂત્રોનું માનીએ તો આ મુલાકાતમાં ભારત સાથે જૈવિક યુદ્ધ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.ખાનગી સૂત્રો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, ૯ ઓક્ટોબરે પાકિસ્તાનના કબજાવાળા કશ્મીરમાં બાગ જિલ્લામાં આ મુલાકાત કરવામાં આવી હતી. નાવેદ મુખ્તાર સાથે મુલાકાત કરનારાઓમાં હિજબુલ મુજાહિદ્દીન અને જૈશ-એ-મોહમ્મદના આતંકીઓનો સમાવેશ થતો હતો. ખાનગી ટીવી ચેનલે જણાવ્યું છે કે, આ બેઠકમાં નાવેદ મુખ્તાર ઉપરાંત આઇએસઆઇના અન્ય ત્રણ અધિકારીઓ બ્રિગેડિયર હાફીઝ અહેમદ, લેફ્ટનેન્ટ કર્નલ જાવેદ અહેમદ અને મેજર ઝફર અલીનો સમાવેશ થતો હતો. આ બેઠકમાં પાકિસ્તાની સેના તરફથી કેપ્ટન મન્સૂર અલીએ ભાગ લીધો હતો. આ બેઠકમાં હિજબુલનો આતંકી જુડ્ડાખાન અને જૈશ-એ-મોહમ્મદનો આતંકી જાવેદ અખ્તર પણ હાજર રહ્યો હતો. મળતી માહિતી અનુસાર આ બેઠકમાં આઇએસઆઇ પ્રમુખે ભારત સાથે રાસાયણિક યુદ્ધ માટે ચીનમાં તાલિમ લીધેલા પાકિસ્તાની ઓફિસર્સને ભારત-પાક. સરહદે તહેનાત કરવાની શક્યતાઓ પર ચર્ચા કરી હતી. આ અંગે સમાચાર ચેનલે દાવો કર્યો છે કે, ૨૦ પાકિસ્તાની અધિકારીઓ ચીનમાં રાસાયણિક યુદ્ધની તાલીમ લઈ રહ્યા છે. જેથી ભવિષ્યમાં તેમનો ઉપયોગ ભારત સામે કરી શકાય.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ