દીપ જ્યોતિ નમોસ્તુતે : એવા દીપ જ્યોતિના પર્વ દિપોત્સવી અને નૂતનવર્ષની પૂર્વ સંધ્યાએ ભગવાન શ્રી સોમનાથ મહાદેવનું ભવ્ય મંદિર દિવાળી-નૂતનવર્ષનાં દિવસે હજારો દીવડાઓની હારમાળા સાથે દીપમાળાની રોશનીથી ઝળહળી ઉઠશે. દિવાળી એટલે પ્રકાશનું પર્વ અને ઋગ્વેદ અનુસાર ‘સૂર્યાંશ સંભવો દીપ’ એટલે કે દીપ સૂર્યનો જ અંશ છે. દીપ-દીવડાઓ પરમેશ્વરની શક્તિનાં પ્રતીક અને ઈશ્વરની આરાધના-ઉપાસનાનાં સહયોગી માનવામાં આવ્યાં છે. આ દિવસોમાં સોમનાથમાં નયનરમ્ય રંગોળી અને પ્રાચીન દીવડાઓની રોશનીમાં ન્હાતા સોમનાથ મંદિરને નિહાળવું એ દિવાળીની રજાઓમાં સોમનાથ આવેલાં યાત્રીકો-પ્રવાસીઓ માટે અનેરો લ્હાવો અને દિવ્ય નજારાની અનુભૂતિ મેળવે છે.
રિપોર્ટર :- મિનાક્ષી ભાસ્કર વૈધ (પ્રભાસપાટણ)