Aapnu Gujarat
રાષ્ટ્રીય

મોદીએ ભાજપને 2000 રૂપિયાનું ડોનેશન આપ્યું

લોકસભાની ચૂંટણી નજીક આવી ગઈ છે ત્યારે ભાજપ સહિતના તમામ પક્ષો ચૂંટણી લડવા માટે ભંડોળ એકઠું કરવામાં વ્યસ્ત છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપને આજે 2000 રૂપિયાનું દાન આપ્યું છે. ત્યાર પછી તેમણે આખા દેશમાંથી ફંડ એકત્ર કરવા માટે હાકલ કરી હતી. તેમણે ટ્વિટર પર એક પોસ્ટ મૂકીને જણાવ્યું કે વિકસિત ભારતના નિર્માણ માટેના અમારા પ્રયાસોને મજબૂત બનાવવા માટે યોગદાન આપતા મને આનંદ થાય છે.

વડાપ્રધાને જણાવ્યું કે રાષ્ટ્રના નિર્માણ માટે સૌએ સાથે મળીને કામ કરવાનું છે. તેમણે નમો એપ દ્વારા એક ખાસ પહેલ શરૂ કરી છે જેને રાષ્ટ્રનિર્માણ માટે ડોનેશન નામ આપવામાં આવ્યું છે. ભાજપે શુક્રવારથી જ આખા દેશમાંથી ફંડ એકત્ર કરવાનું કામ શરૂ કરી દીધું છે. આ ફંડનો ઉપયોગ લોકસભાની ચૂંટણી માટે કરવામાં આવશે. એપ્રિલ મહિનામાં દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણી થવાની છે.

ભાજપના પ્રમુખ જે પી નદ્દાએ પણ ટ્વિટર પર લખ્યું કે મેં પણ ભારતને વિકસીત દેશ બનાવવા માટે વડાપ્રધાન મોદીના વિઝનને ટેકો આપવા માટે ભાજપને ફંડ આપ્યું છે. તેમણે પાર્ટીના ટેકેદારોને NaMo app દ્વારા સપોર્ટ આપવા વિનંતી કરી હતી.

કયા પક્ષને કેટલું ફંડ મળે છે
તાજેતરમાં એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (એડીઆર)એ જણાવ્યું હતું કે વર્ષ 2022-23માં છ રાષ્ટ્રીય પક્ષોએ કંપનીઓ અને લોકો પાસેથી 3,077 કરોડનું ભંડોળ એકત્ર કર્યું હતું. તેમાં ભાજપને સૌથી વધારે 2361 કરોડનું ભંડોળ મળ્યું હતું. છ રાજકીય પક્ષોને આખા વર્ષમાં જે આવક થઈ તેમાંથી એકલા ભાજપને 76 ટકા કરતા વધારે ફંડ મળ્યું હતું. ભાજપને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા 1294.15 કરોડની આવક થઈ હતી.

2021-22 અને 2022-23 વચ્ચે ભાજપની આવક 23.15% અથવા ₹443.724 કરોડ વધી હતી. તેથી ભાજપની આવક ₹1,917.12 કરોડમાંથી ₹2,360.84 કરોડ થઈ હતી તેમ ADRના આંકડા દર્શાવે છે. ભાજપે FY 2022-23માં ₹2360.844 કરોડની આવક દર્શાવી હતી પરંતુ તેણે માત્ર 57.68% ટકા રકમ ખર્ચ કરી હતી. એટલે કે કુલ આવકમાંથી ₹1,361.684 કરોડ ખર્ચ થયા હતા. રાજકીય પક્ષો ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા પણ નાણાં એકત્ર કરી રહ્યા છે જેને સુપ્રીમ કોર્ટે હવે ગેરબંધારણીય જાહેર કરી દીધા છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ચંદ્રચુડે કહ્યું હતું કે ઈલેક્ટોરલ બોન્ડમાં લોકોના ફંડામેન્ટલ અધિકારનો ભંગ થાય છે.

Related posts

સત્તા માટે ચાને પણ બદનામ કરી શકે છે કોંગ્રેસ : મોદી

editor

ચૂંટણી પંચમાં અસહમતી દર્શાવે છે કે મોદી-શાહનો ડર ઓછો થયો છેઃ ચિદમ્બરમ

aapnugujarat

ભૂખે ત્રણ બાળાઓનો ભોગ લીધો

aapnugujarat
UA-96247877-1