Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ એરપોર્ટ પર ઈન્ટરનેશનલ પેસેન્જર્સના ધસારામાં ધરખમ વધારો

જો તમે અમદાવાદની શેરીઓમાં ફરી રહ્યા છો અથવા તો કોઈ હોટલમાં જાવ અને ત્યાં તમને વિદેશી ચહેરાઓ જોવા મળે, તો નવાઈ ના પામતા! છેલ્લા કેટલાક મહિનામાં અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ એટલે કે ઈન્ટરનેશનલ પેસેન્જર્સનો ધસારો વધી ગયો છે. ચોક્કસ આંકડામાં કહીએ તો તેમાં 30%નો વધારો જોવા મળ્યો છે. આ વર્ષે એપ્રિલથી ઓક્ટોબર સુધીમાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ પરથી લગભગ 10.61 લાખ આંતરરાષ્ટ્રીય મુસાફરોએ મુસાફરી કરી હતી. ગયા વર્ષના સમાન સમયગાળામાં આ સંખ્યા 8.19 લાખ હતી. આમ આ બંનેની સરખામણી કરવામાં આવે તો આંતરરાષ્ટ્રીય મુસાફરોની સંખ્યામાં 30%નો વધારો થયો છે, તેમ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)ના ડેટા દર્શાવે છે.

નવી ફ્લાઇટ્સ, વૈશ્વિક સ્તરે અને રમતગમતની ઘટનાઓ અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય મુસાફરોની સંખ્યામાં વધારો થવાના મુખ્ય કારણો પૈકી એક છે. આ જ સમયગાળા દરમિયાન ઘરેલુ મુસાફરો એટલે કે ડોમેસ્ટિક પેસેન્જર્સની અવરજવર ગત વર્ષના 42.9 લાખથી 30% વધીને આ વર્ષે 55.5 લાખ થઈ ગઈ છે. સૂત્રોએ પુષ્ટિ કરી કે આ વર્ષે એપ્રિલથી નવેમ્બર સુધીમાં કુલ ટ્રાફિક લગભગ 75 લાખ મુસાફરો છે.
એરપોર્ટ પર રહેલા સૂત્રોએ જણાવ્યું છે કે, “ભારતના G20 પ્રેસિડન્સી હેઠળના અનેક કાર્યક્રમો આ વર્ષે ગાંધીનગરમાં યોજાયા હતા. તેમાં નાણા મંત્રીઓ અને કેન્દ્રીય બેંકોની કોન્ફરન્સ, એમ્પાવર્ડ સમિટ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અહીં ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિષદો પણ યોજાઈ હતી જેણે વિશ્વના વિવિધ ભાગોમાંથી ટ્રાફિકને અમદાવાદ તરફ ખેંચ્યો હતો. ઓપરેશનલ GA ટર્મિનલમાં પણ આ ઈવેન્ટ્સ દરમિયાન હાઈ-પ્રોફાઈલ ડેલિગેટ્સની નોંધપાત્ર હિલચાલ જોવા મળી હતી. આનાથી અહીં આંતરરાષ્ટ્રીય પેસેન્જર ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો થયો છે.”

એરપોર્ટ પર 18, 19 અને 20 નવેમ્બરના રોજ સતત ત્રણ દિવસ સુધી રેકોર્ડ એક-દિવસીય પેસેન્જર ટ્રાફિક જોવા મળ્યો હતો. 20 નવેમ્બરના રોજ SVPIA ખાતે પેસેન્જર ટ્રાફિક 42,224 હતો, જેનું મુખ્ય કારણ ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ અહીં યોજાઈ રહી હતી. પ્રાઈમરી ફોરેન પેસેન્જર ટ્રાફિક દુબઈ, અબુધાબી, કુવૈત, શારજાહ સહિતના ગલ્ફ દેશોમાંથી હતો. ત્યારબાદ સિંગાપોર, થાઈલેન્ડ અને યુકે (લંડન)નો સમાવેશ થાય છે. ઉનાળા અને દિવાળીની રજાઓ દરમિયાન વિદેશ પ્રવાસના બુકિંગમાં પણ વર્ષ દરમિયાન વધારો જોવા મળ્યો હતો.

ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (TAAI) ગુજરાતના ચેરમેન વીરેન્દ્ર શાહે જણાવ્યું હતું કે, “કેટલાક સ્થળો માટે સીધી ફ્લાઈટ્સ ઉપલબ્ધ હોવાથી વિદેશમાં વેકેશન માણવાનું પસંદ કરતા મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. એકંદરે ઉનાળુ અને દિવાળી વેકેશનમાં ગયા વર્ષની સરખામણીએ હોલીડે બુકિંગમાં 30-40% વધારો જોવા મળ્યો હતો. ગયા વર્ષે વિયેતનામ માટે સીધી ફ્લાઈટ શરૂ થયા પછી પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો.” તેમના મતે, ભારતીય પ્રવાસીઓ અને મુલાકાતીઓ માટે વધુ સીધી ફ્લાઈટ્સ ઉમેરવા અને વિઝા-ફ્રી એન્ટ્રી જાહેરાતને કારણે વિવિધ આંતરરાષ્ટ્રીય સ્થળોએ મુસાફરોનો ટ્રાફિક વધુ વધી શકે છે.

Related posts

પાદરા : ખોટું સોનું બતાવી સાચા સોનાની ઉઠાંતરી કરતી બે મહિલા ઝડપાઇ

aapnugujarat

बुलेट ट्रेन : शिंजो अबेे सितंबर में अहमदाबाद आ सकते हैं

aapnugujarat

કોરોના દર્દીનું ગંભીર બીમારીથી નિધન થાય તો તે કોરોનાથી નિધન થયું ન ગણાય : રૂપાણી

editor
UA-96247877-1