Aapnu Gujarat
ગુજરાત

લખતરના વરસાણી ગામના યુવકે ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વરસાણી ગામે રહેતા ૨૬ વર્ષીય યુવકની પત્ની અન્ય યુવક સાથે ફરાર થઈ ગઈ હતી. આ બનાવમાં લાગી આવતા યુવાને ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. જેમાં આત્મહત્યા કરતા પહેલા યુવાને આ અંગેનો વીડિયો પણ વાયરલ કર્યો હતો. જેમાં તેનો મિત્ર જ તેની ગર્ભવતી પત્નીને ભગાડી ગયાની અને જાતિ અંગે અપમાનિત કરતો હોવાનું જણાવ્યુ હતુ. આ બનાવમાં મૃતક યુવાનના પિતાએ લખતર પોલીસ મથકે મૃતક પુત્રના મિત્ર અને પોતાના પરિવારની પરિણીતાને ભગાડી જનારા સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આંતરજ્ઞાતીય લગ્નોએ માઝા મુકી છે. યુવક અને યુવતી ક્ષણિક આકર્ષણને પ્રેમ સમજી બેસે છે. અને લગ્ન બાદ કાં તો યુવકને અથવા તો યુવતીને પસ્તાવાનો વારો આવે છે. ત્યારે આવા જ એક આંતરજ્ઞાતીય લગ્નમાં લખતર તાલુકાના વરસાણી ગામના યુવાનને આત્મહત્યા કરવાની ફરજ પડી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ગોઝારા બનાવની મળતી માહિતી મુજબ લખતર તાલુકાના વરસાણી ગામના અશ્વીનભાઈ રાજાભાઈ મકવાણાએ વઢવાણ તાલુકાના દેદાદરા ગામના કાળુભાઈ ભલુભાઈ પનારાની પુત્રી જ્યોત્સના સાથે ૩ વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. ૨૬મી ઓગસ્ટના રોજ લખતર ગેસનો બાટલો ભરાવવા ગયેલો અશ્વીન ઘરે આવતા ૬ માસનો ગર્ભ ધરાવતી જ્યોત્સના નજરે ન પડતા તેના પરિવારજનોને પુછતા તે પિયર ગઈ હોવાનું જણાવ્યુ હતુ. આથી શંકા જતા દશરથના ઘરે તપાસ કરતા તે પણ હાજર ન હતો. જેના લીધે દશરથ જ જ્યોત્સનાને ભગાડી ગયાનું બહાર આવ્યુ હતુ. ત્યારબાદ અશ્વીનભાઈએ લખતર પોલીસ મથકે તા. ૨૬ ઓગસ્ટના રોજ આ અંગે અરજી પણ આપી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતા અંતે અશ્વીને ગત તા. ૨જી સપ્ટેમ્બરના રોજ મોડી સાંજે કપાસમાં છાંટવાની મોનોકોટા ઝેરી દવા પી લીધી હતી. ઝેરી દવા પી લેતા પહેલા તેણે એક વીડીયો પણ વાયરલ કર્યો હતો. જેમાં સમગ્ર હકીકત વર્ણવી હતી. આ બનાવમાં મૃતક અશ્વીનભાઈના પિતા રાજાભાઈ વાલાભાઈ મકવાણાએ લખતર પોલીસ મથકે દશરથભાઈ રાતોજા સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ એસટીએસસી સેલના ડીવાયએસપી વી.એમ.જાડેજા ચલાવી રહ્યા છે. ત્રણ વર્ષ પહેલા જ્યોત્સનાએ પ્રેમલગ્ન કરીને અશ્વીન સાથે રહેવા આવી હતી. દશરથ અશ્વીનનો ખાસ મિત્ર હોઈ અને જ્યોત્સનાના સમાજનો હોઈ તેને ધર્મનો ભાઈ માન્યો હતો. તા. ૨૬ ઓગસ્ટના રોજ અશ્વીનની બહેન પાયલે જ્યોત્સનાને ઘરની બહાર જતા જોઈ હતી અને ભાભી કયાં જાય છે ? તેમ પુછતા મારા ધર્મના માનેલા ભાઈને ત્યાં જાઉ છુ, તેમ કહ્યુ હતુ. તા. ૩૦ ઓગસ્ટે અશ્વિનને ત્રણ શખ્સોએ માર માર્યો હતો. તા. ૩૦ ઓગસ્ટના રોજ અશ્વીન તેની પત્નીની ભાળ મેળવવા તરણેતરના મેળામાં ગયો હતો. જેમાં તે બાઈક પર તરણેતરથી સુરેન્દ્રનગર અને ત્યાંથી વરસાણી તરફ આવતો હતો. ત્યારે મેમકા ગામ પાસે ત્રણ અજાણ્યા શખ્સોએ તેના પર છરી વડે હુમલો કર્યો હતો. જેમાં અશ્વીનને ઈજા થતા સારવાર માટે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પીટલ પણ લઈ જવાયો હતો. જો કે, આ બનાવની કોઈ ફરિયાદ નોંધાવી ન હતી. અશ્વીન અને દશરથ લખતર તાલુકાના એક જ ગામ વરસાણીના હતા. પરંતુ બન્ને વચ્ચે ગાઢ મિત્રતા છેલ્લા ૭ વર્ષથી બંધાઈ હતી. બન્ને એક જ કંપનીમાં સાથે કામ કરતા હોવાથી મિત્રતા બંધાઈ હતી. જેમાં એકબીજાના ઘરે આવવા-જવાનું પણ શરૂ થયુ હતુ. વરસાણી ગામે રહેતો અશ્વીન અને દેદાદરા ગામે રહેતી જ્યોત્સના સોશીયલ મીડીયાના ફેસબુક એપ થકી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ બન્ને વચ્ચે મોબાઈલ ઉપર વાતચીત શરૂ થયા બાદ બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.

Related posts

કાંકરેજના ખારીયા ગામે આયુર્વેદીક ઉકાળાનુ વિતરણ કરાયું..

editor

ગુજરાતને રક્ષા-એરોસ્પેસ ક્ષેત્રે મેન્યુફેક્ચરિંગ હબ બનાવાશે

aapnugujarat

લાલૂની ૨૭મીની રેલીમાં હવે રાહુલ ગાંધી પણ નહીં જોડાય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1