Aapnu Gujarat
મનોરંજન

રણબીરની સાથે કોઇ સંબંધ હોવાનો શ્રુતિનો સાફ ઇન્કાર

બોલિવુડ અને દક્ષિણ ભારતમાં ભારે લોકપ્રિયતા મેળવી રહેલી ખુબસુરત સેક્સી સ્ટાર શ્રુતિ હસને કહ્યુ છે કે રણબીર કપુર સાથે તેના કોઇ પણ પ્રકારના સંબંધ નથી. મિડિયામાં આવી રહેલા અહેવાલ આધારવગરના છે. હાલમાં તે બ્રિટીશ બોયફ્રેન્ડની સાથે ક્વોલિટી સમય ગાળી ચુકી છે. કેટરીના કેફ સાથે છ વર્ષ સુધી સંબંધ રહ્યા બાદ રણબીરના સંબંધ થોડાક સમય પહેલા તુટી ગયા હતા. બન્ને વચ્ચે સંબંધનો અંત આવ્યા બાદ હવે રણબીર સાથે શ્રુતિના સંબંધની ચર્ચા રહી છે ત્યારે શ્રુતિએ આ અહેવાલને રદિયો આપ્યો છે. એક જાહેરાત માટે બન્નેએ સાથે શુટિંગ કર્યાબાદ બન્ને વચ્ચે સંબંધની ચર્ચા શરૂ થઇ હતી. સાથે સાથે જાહેરાતમાં કામ કર્યા બાદ બન્ને એકબીજાના સંપર્કમાં છે. શ્રુતિ હસને વિગત આપતા કહ્યુ છે કે તે ખુબ વ્યસ્ત છે. તેની પાસે હાલમાં કોઇ પણ અન્ય બાબત માટે સમય નથી. તેનુ કહેવુ છે કે તેને લઇને આવરી રહેલા અહેવાલ બિલકુલ આધારવગરના છે. અફવાના કારણે કોઇની અસર થશે નહી. હાલમાં કેટલાક અન્ય પ્રોજેક્ટ પણ હાથમાં ધરાવે છે. આવી સ્થિતીમાં રણબીર સાથે કોઇ પણ સંબંધના અહેવાલ ખુબ જ હાસ્યાસ્પદ છે. શ્રુતિ હસન હાલમાં સોશિયલ મિડિયા પર પણ છવાયેલી રહે છે. શ્રુતિ સોશિયલ મિડિયા પર સૌથી વધારે ફોલોઅર્સ ધરાવનાર સેલિબ્રિટી તરીકે પણ છે. કેટરીના કેફ સાથે સંબંધ તુટ્યા બાદ રણબીરના સંબંધો જેક્લીન અને શ્રુતિ સાથે હોવાના હેવાલ હાલમાં સતત આવી રહ્યા છે. જો કે શ્રુતિએ હાલમાં અહેવાલને રદિયો આપ્યો છે. જો કે બોલિવુડના લોકો આ અંગે વાત કરવા માટે તૈયાર નથી. શ્રુતિના બોયફ્રેન્ડ હાલમાં મુંબઇમાં આવ્યો ત્યારે તેની સાથે તે માજા માણતી નજરે પડી હતી. કેટલાક સમયથી રણબીર સાથે સંબંધને લઇને ચર્ચા હતી. હવે શ્રુતિએ પોતે તમામ હેવાલો અને ચર્ચાને રદિયો આપ્યો છે.

Related posts

શહીદ જવાનોનાં પરિવારોને મદદરૂપ થવા બદલ અક્ષય, સાઈનાને નક્સલવાદીઓની ધમકી

aapnugujarat

સોનું, અક્ષય બાદ ટીવી સ્ટાર ગુરમીત લોકોની મદદે

editor

ઇત્તેફાકની રિમેકને લઇને સિદ્ધાર્થ ખુશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1