2022 માં શું ભારત બનવા જઈ રહ્યું છે વિશ્વગુરુ?? ઘણા ખ્યાતનામ લોકો 21મી સદી ભારત, અને એશિયાની સદી ગણાવી રહ્યા છે.આવામાં શું ભારત નું વિશ્વગુરુ બનવું શક્ય છે??
આર્થીક સંકટ વચ્ચે ફસાયેલા વિશ્વમાં, આજે વોર ચાલી રહી છે. કેટલાક દેશો મિલિટરી વડે તો કેટલાક કોલ્ડ વોર માં ફસાયા છે. આવામાં ભારત તરફ આખી દુનિયા એક નજરે જોઈ રહી છે.
છેલ્લા 10 વર્ષમા ભારતે પોતાની વિદેશ નીતિ ખૂબજ સારી રીતે ફેરવી છે. આખાય વિશ્વમાં ભારત માનવીય સહાયતા મોકલી રહ્યું છે. એ ભલે શ્રીલંકા ને આર્થીક મદદ હોય કે પછી અફઘાનિસ્તાન મા ધાન્ય મોકલવાની વાત હોય.
આ સિવાય ભારતે કોરોના સમયે લગભગ 150 + વધુ દેશોમાં વેક્સિન મોકલાવી હતી. સમય સાથે બદલતી ભારતની આ છબી ખુબજ ઉજ્જ્વળ અને સાર્થક છે. આ માટેજ Russia vs Ukraine વોર મુદ્દે શાંતિ કાયમ કરવા માટે આખી દુનિયા ભારત સામે જોઈ રહી છે.
આવા સમયે ભારત વિશ્વને શાંતિ અને સમૃદ્ધિ નો માર્ગ બતાવી વિશ્વગુરુ બની શકે છે. ભારતની ભાગીદારી વગર વિશ્વ પ્રગતિના પંથે ચાલી શકે એમ નથી.