ભાજપના સ્થાપના દિનને લઈને
આજ રોજ ગાંધીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યુવા મોરચાની પત્રકાર પરિષદ યોજાઇ હતી.
પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડો. પ્રશાંતભાઇ કોરાટે પ્રત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું કે, યુવા મોરચા દ્વારા દેશના 75માં આઝાદીકા અમૃત મહોત્સવ નિમિત્તે દેશના અમૃત કાળનો સંદેશો યુવાનો સુઘી પહોચે અને યુવાનોમાં એક દેશ ભક્તિનું સંચાર થાય તે હેતુથી ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ 6 એપ્રિલના રોજ અમદાવાદ ખાતેથી યાત્રાની શરૂઆત કરવામાં આવશે.
75 બાઇકો સાથે ગુજરાત ભરમાં આશરે 3 હજાર કિમી ફરી 80 વિઘાનસભા બેઠકો પર દેશ માટે શહિદ થયેલા અનેક વિરોના વિચારોને યુવાનો સુઘી પહોંચાડવાનું કામ હાથ ધરશે
આ યાત્રાને 6 એપ્રિલના રોજ પ્રદેશના અધ્યક્ષ સી.આર.પાટીલ, રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ,યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સુર્યા તેમજ પ્રદેશના મહામંત્રીઓ અને અન્ય પદાધિકારીઓ અમદાવાદ ખાતે ઉપસ્થિત રહી યાત્રાને પ્રસ્થાન કરાવશે.આ પત્રકાર પરિષદમાં યુવા મોરચાના પ્રદેશ મહામંત્રી ડો. નરેશભાઇ દેસાઇ,યુવા મોરચાના મહામંત્રીશ્રી ઇસાનભાઇ સોની, પ્રદેશ મીડિયા વિભાગના કાર્યાલય મંત્રી પાર્થભાઇ રાવલ, યુવા મોરચાના મીડિયા કન્વીનરશ્રીઓ શ્રી લીલાઘરભાઇ ખડકે, કૃતિકભાઇ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.