સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર વેપારીઓનું હબ કહેવાતું દુર્ગા બજાર કોમ્પલેક્ષના પાછળ પુષ્કળ પ્રમાણમાં ગંદકી જોવા મળી રહી છે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત અહીંયા કોઈ નિયમ લાગુ પડતો ના હોય તેવું પ્રથમ દૃષ્ટિએ નિહાળી શકાય છે. નગરપાલિકા પણ આ ગંદકીની નિયમિત રીતે સાફ-સફાઈ કરતી ના હોય તેવું જાણી શકાય છે. પુષ્કળ પ્રમાણમાં ગંદકીના કારણે ત્યાંથી નીકળવું પણ માથાના દુખાવા સમાન થઈ ગયું છે. આ ગંદકી કોમ્પલેક્ષવાળા કરી રહ્યા છે અને જો કોમ્પલેક્ષ દ્વારા આ રીતની ગંદકી કરતા હોય તો તંત્ર કેમ કાર્યવાહી કરતી નથી ? આ બાબતે તંત્ર દ્વારા ઝડપી કામગીરી કરવામાં નહીં આવે તો ત્યાંથી નીકળવું પણ માથાના દુખાવા સમાન છે અને જો રોગચાળો ફાટી નીકળશે તો જવાબદાર કોણ ? તંત્ર કે પછી સ્થાનિક લોકો ? હવે જોવું રહ્યું કે નગરપાલિકા કેટલા સમયમાં ગંદકી દૂર કરવામાં સફળ રહે છે.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર)