આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માને આજે ગાંધી આશ્રમની મુલાકાત લઇ પ્રતિક્રિયા આપી હતી કે, અહીં આવીને મને શાંતિનો અનુભવ થયો છે. આ તકે પત્રકારોએ ગુજરાતની ચુંટણીને લઇને સવાલ કરતા તેમણે જણાવ્યું હતું કે આ પવિત્ર ભૂમિ છે. અહીં રાજનિતિની ચર્ચા નહીં, કરીએ તે બહાર કરશું. આ અંગેની વિગત મુજબ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી આજે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે પ્રતિક્રીયા આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી બન્યા બાદ હું પહેલીવાર અહીં આવ્યો છું. આ પહેલા એકિટવિસ્ટ હતો ત્યારે ગાંધી આશ્રમની મુલાકાત લઇ ચુકયો છું. અહીં આવીને મને શાંતિનો અનુભવ થયો છે. આ તકે ઉપસ્થિત પત્રકારોએ ગુજરાતની ચુંટણીને લઇને પ્રશ્ર્ન પુછતા તેમણે કહયું હતું. કે, આ પવિત્ર ભૂમિમાં હું રાજનિતિ કરવા નથી માગતો, તેની વાત હું બહાર કરીશ. કેજરીવાલની સાથે પંજાબના સીએમ ભગવંત માન પણ ગાંધી આશ્રમની મુલાકાતમાં જોડાયા હતા.