Aapnu Gujarat
Uncategorized

LIVE – અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો અમદાવાદ નિકોલથી શરૂ થયો રોડ શો,

કેજરીવાલ અને ભગવંત માન બન્ને મુખ્ય મંત્રી અમદાવાદ પૂર્વ વિસ્તારમાં પહોંચી ચૂક્યા છે. કેજરીવાલ અને ભગવંત માન નિકોલ વિસ્તારમાં આ રોડ શો શરૂ થયો છે. દોઢ કલાકનો આ રોડ શો હશે. લોકોના હાથમાં તિરંગો જોવા મળ્યો હતો જેથી તિરંગા યાત્રા નામ આપવામાં આવ્યું છે.
રાજકિય માહોલ ગુજરાતની અંદર જામ્યો છે. કેન્દ્રિય નેતાઓના ગુજરાત પ્રવાસ વધી ચૂક્યા છે ત્યારે આજે અરવિંગ કેજરીવાલ આજે રોડ શોમાં આવ્યા છે. આગામી સમયમાં વહેલી ચૂંટણી થાય તેવી શક્યતા વચ્ચે અત્યારથી જ રાજકિય માહોલ જોવા મળ્યો છે.
તિરંગા યાત્રાનો સ્ટાર્ટીંગ પોઈન્ટ નિકોલ ખોડીયાર માતાનું મંદીર છે. મિશન પંજાબ બાદ આમ આદમી પાર્ટીની નજર ગુજરાત પર છે. રાજ્યો સાથેનું કનેક્શન જોડવાનો પ્રયત્ન આપ પાર્ટી કરી રહી છે. ગુજરાત સાથે સીધુ કનેક્શન અેવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ગાંધી આશ્રમની મુલાકાત લીધા બાદ આ તિરંગા યાત્રા યોજવામાં આવી હતી.
એક સમયે પાટીદાર અનામત આંદોલન વખતે આંદોલન એપી સેન્ટર હતું નિકોલ ત્યારે આ તિરંગા યાત્રાની રોડ શોની શરૂઆત કરવામાં આવી છે. આ વિસ્તારને આપ પાર્ટી દ્વારા પસંદ કરવામાં આવ્યો છે.

Related posts

વિરમગામ મહાત્મા ગાંધી એસડીએચ ખાતે હેલ્થ મેળો યોજાયો : ૧૪૭૮ લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો

aapnugujarat

શિવકુમારની સામે તપાસ હવે ઇડી પોતાના હાથમાં લઇ શકે

aapnugujarat

અમદાવાદમાં હવા દિલ્હી – પુના કરતા વધારે દૂષિત

editor

Leave a Comment

UA-96247877-1