ગુજરાત રાજ્ય ફેર પ્રાઇઝ એસોસીએશન દ્વારા વ્યાજબી ભાવના દુકાનદારોની અલગ અલગ ૬ પડતર માંગણીઓ બાબતે ગુજરાતના મુખ્ય મંત્રીને લેખિત રજુઆત કરવામાં આવી છે .તેમના સમર્થનમાં આજે માળીયાહાટીના તાલુકા વ્યાજબી ભાવના દુકાનદારો દ્વારા પોતાની માંગણીઓને લઈને મામલતદાર શ્રી ને આવેદન આપ્યું હતું અને એસોસિયેશનને સમર્થન આપ્યુ હતુ
તેમજ પોતાની માંગણીઓને લઈને વ્યાજબી ભાવના દૂકનાદારો એક દિવસની પ્રતીક હડતાલમાં જોડાશે તે બાબતે આજે માળીયા હાટીના મામલતદારને માળીયા હાટીના તાલુકા સસ્તા અનાજ વેપારી એસોસિએશન દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યુ જેમાં ૧૯/૨/૨૨ શનિવારના રોજ માળીયા હાટીના તાલુકા સસ્તા અનાજ વેપારી એસોસિએશન એક દિવસ દુકાન બંધ પાડશે