૨૦૦૧માં ભાજપે નક્કી કર્યું હતું કે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બનશે. તે એક દુર્લભ પ્રસંગ હતો – કારણ કે તેમને ત્યાં સુધી વહીવટ ચલાવવાનો કોઈ વાસ્તવિક અનુભવ નહોતો. કચ્છના ભૂકંપ બાદ રાજ્ય ઘણું દબાણ હેઠળ હતું. તેમણે વસ્તુઓ બદલવાનો પ્રયાસ કર્યો અને વિકાસ અને પારદર્શિતા પર ઘણું કામ કર્યું. જ્યારે મોદી ગુજરાતના સીએમ બન્યા ત્યારે રાજ્યમાં ૬૭% એનરોલમેન્ટ અને ૩૭% ડ્રોપઆઉટ હતા. તેમણે લિંગ ગુણોત્તર અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ કાર્યક્રમ શરૂ કર્યો. આખરે તેણે ૧૦૦% નોંધણી જાેઈ અને ડ્રોપઆઉટ રેશિયો લગભગ શૂન્ય થઈ જાય તેની ખાતરી કરવા પગલાં લીધા.શાહે કહ્યું કે વર્ષ ૨૦૧૪ સુધીમાં દેશમાં રામ-રાજની કલ્પના પડી ભાંગી હતી. લોકોના મનમાં એક આશંકા હતી કે શું આપણી બહુપક્ષીય લોકશાહી સંસદીય વ્યવસ્થા નિષ્ફળ ગઈ છે. પરંતુ દેશની જનતાએ ધીરજપૂર્વક ર્નિણય લીધો અને પીએમ નરેન્દ્ર મોદીને પૂર્ણ બહુમતી સાથે દેશનું શાસન સોંપ્યું. મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે ઘણા ફેરફારો લાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે ગુજરાતમાં ઘણું કામ કર્યું. તેમણે સુધારા, પારદર્શિતા પર કામ કર્યું. આ સિવાય દેશની કરોડો મુસ્લિમ મહિલાઓને ન્યાય અપાવ્યો છે. નરેન્દ્ર મોદીએ દેશના પાસપોર્ટની વેલ્યું વધારી છે. દિલ્હીમાં લોકશાહી પર ત્રણ દિવસીય રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ભારતની આઝાદીને ૭૫ વર્ષ થયા છે. જ્યારે આપણે આઝાદ થયા ત્યારે આપણા દેશની બંધારણ સભાની રચના થઈ, બંધારણ સભાએ બહુપક્ષીય લોકશાહી પ્રણાલીનો સ્વીકાર કર્યો. તે ખૂબ કાળજી સાથે સ્વીકારવામાં આવ્યો હતો જે યોગ્ય ર્નિણય હતો. તેમણે કહ્યું કે આટલો મોટો દેશ, આટલી બધી વિવિધતા ધરાવતો દેશ કોઈપણ વ્યક્તિના આધારે પસંદ કર્યા પછી ન આવવો જાેઈએ. બહુપક્ષીય લોકશાહી વ્યવસ્થા હોવી જાેઈએ, દરેક પક્ષની એક વિચારધારા હોવી જાેઈએ. શાહે કહ્યું કે કામના આધારે અમારી ઓળખ થવી જાેઈએ. દેશના લોકો પીએમ મોદીને મારા કરતા વધુ સારી રીતે જાણે છે.