ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર
માહિતી બ્યૂરો, સુરેન્દ્રનગર દ્વારા મળતી માહિતી મુજબ
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વચ્છ ભારત અભિયાન હેઠળ દેશ અને રાજ્યભરમાં અનેક સ્થળોએ સફાઈ કાર્યો કરવામાં આવી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ક્લિન ઈન્ડિયા મુવમેન્ટ સંદર્ભે જિલ્લા પંચાયતની વિવિધ કચેરીઓ ખાતે શ્રમદાન અને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું. આ અભિયાન અંતર્ગત ઘન અને વિશેષ રૂપે પ્લાસ્ટિક કચરો એકઠો કરીને જિલ્લા પંચાયતના તમામ પરિસરો અને વિસ્તારોને સ્વચ્છ કરવામાં આવ્યા હતા.
આ સ્વચ્છતા અભિયાનમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એન.કે.ગવ્હાણે, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી નસીમ મોદન, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એચ.ડી.વાદી તેમજ જિલ્લા પંચાયતની વિવિધ કચેરીઓના અધિકારી/કર્મચારીશ્રીઓ સહભાગી બન્યા હતા.