ગરીબોને હાથોહાથ લાભ આપવાના મહાઅભિયાનનો આગામી તા.૧૨મીથી આરંભ થઈ રહ્યો છે. જે અંતર્ગત તા.૧૨/૧૦/૨૦૧૭ના રોજ બપોરે ૧૨.૦૦ વાગે બારડોલી તાલુકાના બાબેન સુગર ફેકટરી કંપાઉન્ડ ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાશે. આ પ્રસંગે વન, આદિજાતિ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા, શિક્ષણ રાજયમંત્રીશ્રી નાનુભાઈ વાનાણી, અલ્પસંખ્યક અને નાણા નિગમના અધ્યક્ષશ્રી સુફીસંત મહેબુબ અલી બાબા હાજર રહેશે.