ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર
જિલ્લા રોજગાર કચેરી દ્વારા મળતી માહિતી ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે, રોજગારવાચ્છુ ઉમેદવાર તથા નોકરીદાતાઓને રોજગાર કચેરી ની સેવાઓ ડીજીટલ માધ્યમ થી મળી રહે તે હેતુસર ‘અનુબંધમ’ પોર્ટલનું લોકાર્પણ તા.૬/૮/ર૧નાં રોજ રોજગાર દિવસ નિમિત્તે માન.મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે કરવામાં આવેલ છે. આ પોર્ટલ નોકરીદાતાઓ તથા નોકરીવાચ્છુ ઉમેદવારોને એક પ્લેટફોર્મ ઉપર લાવશે. તેમાં નોકરીદાતાઓ તરફથી નોંધાતી વેકેન્સીનો લાભ રોજગારવાચ્છુ ઉમેદવારો મળી શકે તે હેતુસર આ પોર્ટલ ઉપર રોજગારવાચ્છુ ઉમેદવારોની નોંધણી કરવી જરૂરી છે.
આ પોર્ટલ ઉપર વધુમાં વધુ ઉમેદવારોની નોંધણી કરવા બિડેલ નમૂનાનો પત્ર મુજબ ગામના રોજગારવાચ્છુ ઉમેદવારોની નોંધણી અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ઉપર કરાવવા પ્રોત્સાહિત કરવા જણાવવામાં આવે છે