સુરેશ ત્રિવેદી, ભાવનગર
અંગ્રેજોની ગુલામીમાંથી દેશ આઝાદ થયો તેને 75 વર્ષ થયાં. આ નિમિતે સ્વતંત્રતાના અમૃત મહોત્સવ અંતર્ગત ભાવનગર શહેર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા “યુવા સંકલ્પ યાત્રા” નિમિતે તારીખ 19 ઓગસ્ટ 2021 ના રોજ સવારે 6.00 કલાકે “સાઈકલ મેરેથોન” નું આયોજન કરવામાં આવેલ…
જેમાં ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના અધ્યક્ષ શ્રી રાજીવભાઈ પંડ્યા, મહામંત્રી શ્રી દેવેન્દ્રસિંહ ચુડાસમા અને સંગઠન ના હોદ્દેદારશ્રીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં.
આ સાઈકલ મેરેથોનમાં ભાગ લેનાર તમામ સાઈકલિસ્ટોને સન્માનપત્ર અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા…
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારતીય જનતા યુવા મોરચાના અધ્યક્ષ શ્રી મુકેશભાઈ ડાભી, મહામંત્રી શ્રી કિશનભાઈ મહેતા અને ભવદિપસિંહ ગોહીલના માર્ગદર્શન હેઠળ ભાવનગર મહાનગર યુવા મોરચા ની ટીમે કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો…
તેમ ભાવનગર શહેર મીડિયા કન્વીનર શ્રી હરેશભાઇ પરમાર, સહ કન્વીનર શ્રી તેજસભાઈ જોશીની યાદી જણાવે છે.