શૈલેષ વાળા, સુત્રાપાડા
પ્રાચી તીર્થ ના કોળી સમાજ ભવન ખાતે રંભુબેન ઉકાભાઇ ચુડાસમા સેવા સમિતિ તથા ગાયત્રી પરિવાર આયોજિત આગામી 18 ઓગસ્ટ ને બુધવારે સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધી શ્રી સદગુરુ નેત્ર નિદાન કેમ્પ યોજાશે જેમાં શ્રી રણછોડદાસબાપુ આંખની હોસ્પિટલ રાજકોટના સેવાભાવી ડોક્ટર શ્રી દ્વારા આંખની તપાસ કરી દવા ટીપા આપશે તથા મોતિયા ના દર્દીઓને એડમીટ કરી ને રાજકોટ ખાતે લઈ જઈ વિનામૂલ્યે મોતીયાનું આધુનિક મશીન થી ઠંડા ઓપરેશન કરી નેત્રમણી મૂકી આપવામાં આવશે ફરી કેમ્પના સ્થળે મૂકી જશે તો આ કેમ્પનો આંખના દર્દીઓએ બહોળી સંખ્યામાં લાભ લેવા સંપર્ક પત્રકાર જાદવભાઈ ચુડાસમા મોબાઈલ ૯૯૭૮૫૨૩૧૮૨ પર સંપર્ક કરવા અનુરોધ છે