મહેશ ઉતેરીયા, સુરેન્દ્રનગર
આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અધ્યક્ષસ્થાને અને ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઈટાલીયાના નેજા હેઠળ હાલ કોરોનાની વૈશ્વિક મહામારીમાં જે લોકોને સ્વજનો ગુમાવાનો વારો આવ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા જન સંવેદના મુલાકાત કાર્યક્રમ અંતર્ગત ગુજરાત જિલ્લાના ગામડે ગામડે આપ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સહિતના આગેવાનો જે લોકોએ કોરોના કહેરથી સ્વજનો ગુમાવ્યા છે તેમની મુલાકાત કરી ને શોક વ્યક્ત દુખ માં સહ બનવા માટે જઈ રહ્યા ત્યારે આજે સવારે ગોપાલભાઈ ઈટાલીયા ઉંઝા ઉમિયા માતાજીનાં દર્શન કરી ને ઉતર ગુજરાત માં જન સંવેદના મુલાકાત યાત્રા કાર્યક્રમમાં શરૂ કરે તે પહેલા મહેસાણા ખાતે ભાજપ સરકાર દ્વારા પોલીસ નો દુર ઉપયોગ કરી ને ધરપકડ કરવા આવી છે,,, ત્યારે જેને વિરોધ માં સુરેન્દ્રનગર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રદર્શન કાર્યક્રમ સુરેન્દ્રનગર ખાતે બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામે રામ ધુન કરવામાં આવી ને ત્યાર બાદ રોડ ઉપર ઉતરી વિરોધ પ્રદર્શન કરતાં બી ડિવિઝન પોલીસ દ્વારા આમ આદમી પાર્ટી નાં કાર્યકરો ની અટકાયત કરવામાં આવી હતી