ટીમ ઇન્ડિયાના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને કૃષ્ણપ્પા ગૌતમ પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આ બંને ખેલાડીઓ શ્રીલંકાના પ્રવાસે ગયેલી ટીમ ઇન્ડિયાનો ભાગ છે. યુઝવેન્દ્ર ચહલ અને કૃષ્ણપ્પા ગૌતમ ઓલરાઉન્ડર ક્રુણાલ પંડ્યાના સંપર્કમાં આવ્યા હતા. કૃણાલ 27 જુલાઈએ કોરોના પોઝિટિવ થયા હતા.ચહલ અને ગૌતમ ઉપરાંત હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, પૃથ્વી શો, મનીષ પાંડે અને ઈશાન કિશન પણ કૃણાલના સંપર્કમાં આવ્યા હતા, જોકે તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. આ તમામ ખેલાડીઓ શ્રીલંકા સામેની બીજી અને ત્રીજી ટી 20 માં ટીમ ઈન્ડિયાનો ભાગ ન હતા. કૃણાલને કોરોના પોઝિટિવ મળ્યા બાદ ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટી 20 મેચ મુલતવી રાખવામાં આવી હતી. આ મેચ 27 જુલાઈએ યોજાવાની હતી, જે બાદમાં 28 જુલાઈએ રમાઈ હતી.