સન્ની વાઘેલા, સુરેન્દ્રનગર
મૂળી પંથકમા દારૂ જુગાર સહિતની અસામાજીક પ્રવૃતિ નાથવા મૂળી પોલીસ દ્રારા અગાઉ 15 જેટલા ઇસમો સામે હદપારની કાર્યવાહી કરતા સનસનાટી મચી ગયેલ હતી જેમા મૂળી પોલીસ મથકમા અલગ અલગ ગુનાઓના ઇસમો (1) મગનભાઇ લધરાભાઇ પરમાર રહે:- સરા (2) મયુરભાઇ તુલશીભાઈ
રહે:-સરા (3) રવિભાઇ ધરમશી ભાઇ ચોવસીયા રહે:- સરા અને (4) નારાયણ હિરાભાઇ ગમટા રહે:- દુધઇ વિરુધ્ધ હદપારની કાયઁવાહી તૈયાર કરતા મંજુર થતા ચારેય ઇસમોને સુરેન્દ્રનગર જીલ્લા અને જીલ્લાને આસ-પાસમા આવેલ રાજકોટ ગ્રામ્ય, અમદાવાદ ગ્રામ્ય, મોરબી અને બોટાદ ચાર જીલ્લાની હદમા બે વર્ષ સુધી નહિ પ્રવેશ કરવા હુકમ કરાયો છે. આ ચારેય ઇસમોને હાલ આણંદ, કચ્છ મહેસાણા જીલ્લામા મોકલતા સમગ્ર મૂળી પંથકમા અસમાજીક તત્વોમા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.