મહારાષ્ટ્રના નાસિકમાં એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પરિવારનો દાવો છે કે કોરોના વેક્સિનનો બીજાે ડોઝ લીધા બાદ તેમના પરિવારના સભ્ય અરવિંદ સોનારના શરીરમાં ચુંબકીય શક્તિ પેદા થઇ છે. હવે તેમના શરીર પર ચમચી, સ્ટીલ અને લોખંડના વાસણ અને સિક્કા સરળતાથી ચોંટી જાય છે, જે ખૂબ જ આશ્ચર્ચચકિત કરનારી વાત છે.
આ ઘટના સામે આવ્યા બાદ સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ તપાસના આદેશ આપ્યા છે. આ ઘટના પાછળ ખરેખર સત્ય શું છે અને તેની પાછળ શું કારણ જવાબદાર છે તથા પરિવારનો દાવો કેટલો સાચો છે? તે અંગે તપાસ કરવામાં આવશે. આની પાછળ કોઇ મેડિકલ કારણ જવાબદાર છે કે કેમ? તેની પણ તપાસ થશે.
પરિવારે એક વીડિયો બનાવ્યો છે, જેમાં જાેઇ શકાય છે કે અરવિંદ સોનારના શરીર પર સ્ટીલ અને લોખંડના વાસણ અને સિક્કા સરળતાથી ચોંટી જાય છે. તેમના શરીર પર ચમચી, નાના પ્લેટ, ઘરમાં ઉપયોગમાં લેવાતાં વાસણો, સિક્કા ચોંટેલા છે.
પરિવાર અનુસાર, તેમણે આ ઘટનાનો વીડિયો બનાવ્યો અને પોતે જિલ્લા તંત્રને આની માહિતી આપી.
તંત્ર તરફથી પણ ડોક્ટર્સની એક ટીમ બુધવારે તપાસ માટે પહોંચી હતી.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ