સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા સન્ની વાઘેલા જણાવે છે કે, મુળી તાલુકાનાં દુધઈ ગામે વીટીવી નાં એંકર ઈશુદાન ગઢવી એ હાજરી આપી હતી જેમાં પ્રથમ ખેડૂત આગેવાનો અને ખેડૂતો ને મળ્યા હતા અને દુધઈ મુકામે રામકુભાઈ કરપડા ની વાડી ઉપર ખેડૂતો સાથે વાર્તાલાપ કરેલ હતો અને આગામી સમયની રણનીતિ નક્કી કરશે તેમ ઈશુદાન ગઢવી એ જણાવ્યું હતું ત્યારબાદ વડવાળા મંદિર નાં દર્શન કરી મહંત રામબાલકદાસ બાપુ નાં આશિર્વાદ લીધા હતા અને ગઢવી નું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ખેડૂત આગેવાનો રામકુભાઈ કરપડા કીશાન કોંગ્રેસ પ્રમુખ સુરેન્દ્રનગર જીલ્લા , રાજુભાઈ કરપડા ખેડૂત એકતા મંચ પ્રમુખ, રતનસિંહ ડોડીયા , સરલા સરપંચ રાજુભાઈ, અને મુળી તાલુકાનાં ગામોમાં થી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા ઈશુદાન ગઢવી નું ઢોલ વગાડી અને સુતરની આંટી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે કથાકાર રામેશ્વર હરીયાણી પણ સાથે જોડાયા હતા અને ખેડૂતો એ ઈશુદાન ગઢવી ને સમર્થન આપ્યું હતું
પાછલી પોસ્ટ