ભાવનગરથી અમારા સંવાદદાતા સુરેશ ત્રિવેદી જણાવે છે કે, ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ એભાવનગર એસ.ઓ.જી. શાખાને જીલ્લામાં થતા નાર્કેટીક્સ હેરા ફેરી-વેચાણ ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા આપેલ સુચના હેઠળ એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર કે.બી. જાડેજા ની રાહબરી નીચે એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે યશ ઉર્ફે જીગરભાઇ મુકેશભાઇ ગોહેલ /કોળી ઉવ. ૨૦ ધંધો- મજુરીકામ રહેવાસી-મામા કોઠા રોડ, અંબીકા પ્રાથમીક શાળાની બાજુના ખાંચામાં, ભુતનાથ મહાદેવ મંદિર વાળા ખાચામાં ભાવનગર વાળાને તેના ઘરેથી સુકો ગાંજો વજન ૬૫૦ ગ્રામ કિ.રૂ|. ૬૫૦૦/- તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ કિ.રૂ. ૧૧,૫૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.બી. જાડેજા ની રાહબરી હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના જગદીશભાઇ મારૂ તથા યુસુફખાન પઠાણ તથા વિજયસિંહ ગોહિલ તથા જીતેન્દ્રસિંહ જાડેજા તથા મહાવીરસિંહ ગોહીલ તથા પ્રદીપસિંહ ગોહીલ તથા બાવકુદાન ગઢવી તથા યોગીનભાઇ ધાંધલ્યા તથા પોલીસ કોન્સ. પાર્થભાઇ પટેલ તથા હારીતસિંહ ગોહીલ તથા સોહીલભાઇ ચોકીયા તથા મનદીપસિંહ ગોહિલ તથા વિશ્વજીતસિંહ ઝાલા ડ્રાઇવર ભગીરથસિંહ રાણા તથા પરેશભાઇ પટેલ જોડાયા હતા.
પાછલી પોસ્ટ