Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઇસ્લામિક ધર્મ પ્રચારક જાકિર નાઇકનો પાસપોર્ટ રદ્દ કરવા આદેશ

ઇસ્લામિક ધર્મગુરૂ જાકિર નાઇકનો પાસપોર્ચ રદ્દ કરવામાં આવ્યો છે. જાકિર નાઇનેક એનઆઇએ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું
હતું. તેમને સમન્સ મોકલવા છતાં તેઓ હાજર ન થતાં તેમનો પાસપોર્ટ રદ્દ કરવામાં આવ્યો છે.મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર, ક્ષેત્રિય પાસપોર્ટ કાર્યાલયે જાકિર નાઇકનો પાસપોર્ટ રદ્દ કરવાનો આદેશ જારી કર્યો છે. આ પહેલા જાકિર નાઇકને તેમનો પાસપોર્ટ રદ્દ કરવાના સંબંધમાં પાસપોર્ટ ઓર્થોરિટીએ કારણ બતાવો નોટિસ જારી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, એનઆઇએ દ્વારા જાકિર નાઇક સામે આતંક અને મની લોન્ડ્રિંગ મામલાની તપાસ ચાલી રહી છે.
જાકિર નાઇક ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશનના સંસ્થાપક છે. તેમના પર ઇસ્લામના પ્રચારની આડમાં લોકોને ધર્મ પરિવર્તન અને તેમની ભાવનાઓને ભડકાવવા તેમજ આતંકી ગતિવિધિમાં લોકોને પ્રેરિત કરવાનો આરોપ છે.

Related posts

राउत का भाजपा पर ताना- तुम से पहले वो जो इक शख़्स यहाँ तख़्त-नशीं था…!

aapnugujarat

राहुल ने उठाया मेघालय की खदान में फंसे खनिकों का मुद्दा

aapnugujarat

કોંગ્રેસ સંગઠનમાં ફેરબદલ : ઘણાં રાજ્યોમાં પ્રભારી નિયુક્ત કરાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1