Aapnu Gujarat
ગુજરાત

ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર : ૧૮ એપ્રિલે મતદાન, ૨૦ એપ્રિલે પરિણામ

કોરોના સંક્રમણે આખા ગુજરાતને ભરડામાં લઇ લીધુ છે ત્યારે રાજ્યના ગણા શહેરોમાં રાત્રિ કરફ્યૂના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને રાત્રિ કરફ્યૂનો સમય વધારી દેવામાં આવ્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર ૧૨૭૮ કોરોના કેસ નોંધાયા હતા. ત્યારે રાત્રિ કરફ્યૂ બાદ અફવાઓનું બજાર પણ ગરમાયું છે અને લોકો લોકડાઉનનાં ડરે મોલ અને દુકાનોમાં ખરીદી કરવા ઉમટી પડ્યા છે. ત્યારે ઇલેક્શન કમિશને પણ એક વિચિત્ર જાહેરાત કરી છે. કોરોના મહામારીના ભયાનક ડર વચ્ચે હવે ગાંધીનગરમાં ચૂંટણી યોજાશે. ગાંધીનગરમાં ૨૦ એપ્રિલના રોજ મનપાની ચૂંટણી યોજાશે.
આ દરમિયાન જાહેર જનતામાં એવો પણ ગુસ્સો છે કે સરકાર સભાઓ કરે છે ચૂંટણીનું આયોજન થાય છે જેના કારણે કોરોના સંક્રમણ ફરીથી વધી રહ્યું છે. આ દરમિયાન ગાંધીનગપ મનપાની ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. આગામી ૧૮ એપ્રિલે ગાંધીનગર મનપાની ચૂંટણી યોજાશે. ૨૦ એપ્રિલના રોજ મનપાની ચૂંટણીના મતની ગણતરી થશે. સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન યોજાશે. અહીં મનપામાં કુલ ૨,૮૨,૯૮૮ મતદાર છે. જેથી ૨૮૪ મતદાન મથક તૈયાર કરવામાં આવ્યા છે.
ગાંધીનગર મનપાની ચૂંટણી માટે એક એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે અને ૩ એપ્રિલે ઉમેદવારી પત્રની ચકાસણી થશે. ૫ એપ્રિલે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ રહેશે. એક બાજૂ કોરોના મહામારીએ ઉથલો માર્યો છે ત્યારે ગાંધીનગરમાં મનપાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. તે જોતા સાફ કહી શકાય કે કોરોના મહામારીમાં સરકાર બનાવાના નાટક યોજાઇ રહ્યા છે અને લોકોના જીવન સાથે ચેડા થઇ રહ્યા છે.

Related posts

वडोदरा में बनेगा गुजरात का पहला एयरक्राफ्ट रेस्तरां

editor

म्युनि तंत्र द्वारा जीका वायरस को लेकर कोई जागरुकता नहीं

aapnugujarat

કાલુપુર રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ 36 મહિનામાં પૂર્ણ થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1