Aapnu Gujarat
ગુજરાત

ગોધરામાં સીએમ વિજયભાઈ રૂપાણીની જાહેરસભા

પંચમહાલથી અમારા સંવાદદાતા વિજયસિંહ સોલંકી જણાવે છે કે,પંચમહાલમાં સ્થાનિક સ્વરાજની ચૂટણીઓનો પ્રચાર અંતિમ ચરણમાં છે.મહાનગર પાલિકાની ચુટણીમાં જીત મેળવ્યા પછી પાલિકા અને પંચાયતની ચુટણીમાં વિજય મેળવવા હવે ભાજપે કમર કસી છે.પંચમહાલની એક જીલ્લા પંચાયત,સાત તાલુકા પંચાયંત અને બે નગરપાલિકાની ચુટણી યોજાવાની છે.ગોધરા ખાતે સીએમ વિજયભાઈ રૂપાણીએ જાહેરસભાનુ સંબોધન કર્યુ હતુ. સીએમ હેલિપેડથી સીધા લાલબાગ મેદાન ટેકરી ખાતેના સભાસ્થળ ખાતે પહોચ્યા હતા.જ્યા સૌ ઉપસ્થિત ભાજપાના અગ્રણીઓએ તેમનુ સ્વાગત કર્યુ હતુ,

સીએમ વિજયભાઈ રૂપાણીએ સભાને સંબોધન કરતા જણાવ્યુ કે મહાનગર પાલિકાના પરિણામો આવ્યા. કોંગ્રેસને ખબર હતી કે તેમની હાર થવાની છે.પરિણામોએ બતાવી દીધુ કે કોંગ્રેસ સત્તા માટે,વિરોધ પક્ષ માટે લાયક નથી. ૨૮ તારીખનુ મતદાન કોંગ્રેસ મુકત મતદાન હશે,કોંગ્રેસના સફાયા માટેનુ મતદાન હશે. કોંગ્રેસે કોરોનાકાળમા સેવાની તક ગુમાવી છે.પ્રજાની માનવતા જોવાને બદલે રાજકારણ જોવા નીકળ્યા હતા.

કાર્યક્રમમા સાસંદ રતનસિંહ રાઠોડ,ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજી,શહેરા ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ,કાલોલ ધારાસભ્ય સુમનબેન ચૌહાણ,પ્રભારી પ્રધ્યુમનસિંહ જાડેજા,મોરવા હડફના પુર્વ ધારાસભ્ય નિમીષાબેન સુથાર,સહિત ચુટણીમા ઉભા રહેલા ઉમેદવારો,તેમજ ભાજપા કાર્યકરો,ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

હિંમતનગરના નવાનગર ખાતે નાયબ મુખ્યમંત્રીના હસ્તે સિંચાઇ કાર્યોનું લોકાર્પણ

aapnugujarat

પ્રવીણ તોગડિયાના કૌટુંબિક ભત્રીજા સહિત ત્રણની હત્યા કરનારા ગોલ્ડનની તેના મિત્રોના હાથે જ હત્યા

aapnugujarat

ગુજરાતમાં મારી પાસે ભાજપ-કોંગ્રેસ એમ બે વિકલ્પ છે : અલ્પેશ ઠાકોર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1