Aapnu Gujarat
ગુજરાત

સુરતમાં દીકરાએ બાપની હત્યા કરી

સુરતમાં રોજ રોજ હત્યા અને હત્યાના પ્રયાસની ઘટનાઓ સામે આવે છે. દરમિયાનમાં સુરતના ડીંડોલી વિસ્તારમાં એક પુત્રએ તેના પિતાની હત્યા કરી નાંખતા ચકચાર મચી છે. પોતાની પત્નીને માર મારી રહેલા પુત્રને અટકાવવા જતા પિતાએ પુત્રની હત્યા કરી હતી.
માતાએ મીડિયા સાથેની વાતચીતમાં વિલાપ કરતા કહ્યું હતું કે મારા તો બંને ગયા, મારી દુનિયા લૂંટાઈ ગઈ. લાવ તને જ મારી નાંખુ કહીને દીકરાએ એના પપ્પાને છરી મારી દીધી.ડીંડોલીમાં ઘર કંકાસમાં પુત્રએ પિતાની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. નાનો ભાઈ પત્નીને માર મારતા થયેલા દીકરાને અટકાવવા તેના પિતા વચ્ચે પડ્યા હતા. સાથે જ પુત્રને માર મારવા બદલ ઠપકો આપે છે. જેથી ઉશ્કેરાયેલા દીકરાએ પોતાના જ પિતાને ચપ્પુના ઘા ઝીંકી દે છે. જેથી પિતાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન પિતાનું મોત નીપજ્યું હતું.
આરોપી મહેન્દ્ર મનોજ રાઠોડ જમવામાં થોડું મોડું થતાં તેની પત્નીને માર મારી રહ્યો હતો. સાંજના સાડા છ વાગ્યાના સુમારે મહાદેવનો નાનો ભાઈ મહેન્દ્ર તેની પત્ની ચૈતાલીને માર મારતો હતો. જેથી તેને કેમ મારે છે. તેમ કહેવા જતા તે ઉશ્કેરાઈ ગયો હતો. ચાકુ કાઢીને મહાદેવને મારવા દોડ્યો હતો. ત્યારે મહાદેવના પિતા મનોજભાઈ અને મહોલ્લાના મિત્રો તથા આળખીતાઓ આવી જઈ વચ્ચે પડી છોડાવ્યાં હતાં.જો કે ઝઘડામાં છોડાવવા પડેલા પિતાજીને મહાદેવના નાના ભાઈ મહેંદ્રને “છોડ આને, કેમ મારે છે?” તેમ કહી આરોપી મહેન્દ્રએ ભાઇને ધક્કો માર્યો હતો. બાદમાં મહેંદ્રએ તેની પાસેનો ચપ્પુ પિતાના ડાબા હાથમાં બગલ પાસે મારી દઇ ગંભીર અને જીવલેણ ઇજા પહોંચાડી હતી.બાદમાં તેમને ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવતાં તબીબોએ તેની ટૂંકી સારવાર બાદ મૃત જાહેર કર્યા હતા.જેથી પોલીસે આરોપી મહેન્દ્ર વિરૂધ્ધ હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

धानेरा के फतेपुरा के बच्चे की कांगो बुखार से मौत

aapnugujarat

પીએમ મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે આવશે

aapnugujarat

Gujarat to host various farmers’ welfare programmes on forthcoming birthday of former PM late Mr Vajpayee on Dec. 25th, ‘Good Governance Day’

editor

Leave a Comment

UA-96247877-1