Aapnu Gujarat
ગુજરાત

સદનપુર ગામમાં બે નીલ ગાયોને રેસક્યુ કરી બચાવાઈ

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલાં સદનપુર ગામનાં કૂવામાં બે નીલ ગાયો પડી જતા વન વિભાગ અને ગ્રામજનો દ્વારા રેસક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને આ ગાયોને બચાવી લેવામાં આવી હતી. સુત્રો તરફથી મળતી માહિતી અનુસાર કૂવામાં બે નીલ ગાયો કૂવામાં પડી હોવાનું ગ્રામજનોનાં ધ્યાને આવતાં તેઓએ તુરંત જ શહેરા વનવિભાગને જાણ કરી હતી. કૂવામાં પાણી બહુ હોવાથી આ ગાયોને રેસક્યુ કરવામાં કર્મચારીઓ અને ગ્રામજનોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. વન વિભાગના કર્મીઓએ દોરડા અને જાળીની મદદથી આ ગાયોને બહાર કાઢી હતી. ઉલ્લેખનીય છે કે, ગાયો જેવી કૂવામાંથી બહાર નીકળી કે તુરંત જ જંગલ વિસ્તારમાં જતી રહી હતી. વનવિભાગનાં કર્મચારીઓની સરાહનીય કાર્યની ગ્રામજનોએ ખૂબ જ પ્રશંસા કરી છે.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

મોંઘવારીએ માઝા મૂકી : પ્રજા પરેશાન

aapnugujarat

આઈ-ખેડૂત મારફતની ૧૮૭ અરજીઓને પૂર્વ મંજુરી

editor

વિજય કેલ્લાએ રાજીનામું આપતાં કોંગ્રેસમાં ધરતીકંપ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1