Aapnu Gujarat
ગુજરાત

હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠા દ્વારા લવ જેહાદ રોકવા નવતર પહેલ

હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠા ટીમ દ્વારા શહેરના અનેક મંદિરોમાં હિન્દુ બહેન દીકરીઓ ઉપર થતા અત્યાચાર તેમજ અન્ય સમસ્યાને લગતા તમામ પ્રશ્ન હવે લેખિતમાં મંદિરમાં લગાવેલ બોક્સમાં મૂકી શકશે, જે બહેન દીકરીને હેરાનગતિ કે કોઈ મુંઝવણ હશે તે આ બોક્સમાં પોતાનો પ્રશ્ન મુકશે. હિન્દુ યુવા સંગઠનના ભાઈઓ દીકરીની માહિતી ગુપ્ત રાખી એ પ્રશ્નનું યોગ્ય નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરશે. હરિયાણામાં લવ જેહાદ ષડયંત્રનો ભોગ બનેલ કોલેજ વિદ્યાર્થિની નિકિતા તોમર દ્વારા ધર્મ પરિવર્તનનો અસ્વીકાર કરતાં જાહેરમાં રોડ પર ગોળી મારી હત્યા થયેલ હોવાથી એને સાચી શ્રદ્ધાંજલિ આ કામ કરી આપવામાં આવી છે. હિંમતનગરના હરસિદ્ધ મંદિર, મહાવીરનગર જૈન દેરાસરથી શરૂઆત કરી છે. આગામી સમયમાં ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા, શહેર, ગામમાં આ બોક્ષ લગાવવામાં આવશે, જેથી તમામ બહેન દીકરીઓને ન્યાય અપાવવાનું કાર્ય હિન્દુ યુવા સંગઠન દ્વારા આજથી આ કાર્યની શુભ શરૂઆત કરવામાં આવી છે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

અમદાવાદ ખાતે ઓરી રૂબેલા વેક્સીનેશન કેમ્પેન ઓરીએન્ટેશન વર્કશોપ યોજાયો.

aapnugujarat

વિરમગામના ભોજવા ખાતે વિશ્વ ટીબી દિવસની ઉજવણી અંતર્ગત રેલી કાઢવામાં આવી

aapnugujarat

ભાજપે ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી : વેજલપુર બેઠક પરથી કિશોરભાઇ રિપીટ કરાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1