૧૫૧મી ગાંધી જયંતી નિમિત્તે ભાવનગર શહેર અને જિલ્લામાં અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. પૂજ્ય બાપુની યાદમાં પ્રાર્થના સભા ભાવાંજલિ સફાઇ ઝુંબેશ અને ગાંધી જીવન કવન અભ્યાસ પરોપકાર ભાવ સેવાભાવના અપનાવી પૂજ્ય બાપુને સાચા અર્થમાં ભાવાંજલિ આપવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સામાજિક સંસ્થાઓ વગેરે દ્વારા શહેરની મધ્યમાં ક્રેસન્ટ સર્કલમાં આવેલ ગાંધી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના સાંસદ ભારતીબેન શિયાળ, ભાવનગરના મેયર સહિતના આગેવાનોએ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કરી હતી. ભારતીબેન શિયાળે પૂજ્ય બાપુના આદર્શોને સમજાવી નમન કર્યું હતું.
(તસવીર / વિડિયો / અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)