Aapnu Gujarat
ગુજરાત

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતોએ ભાજપા પ્રદેશ અધ્યક્ષ પાટીલનું અભિવાદન કરી આશીર્વાદ પાઠવ્યા

પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, મધ્ય અને ઉત્તર ગુજરાતમાંથી વિવિધ સ્વામિનારાયણ મંદિર તેમજ ગુરુકુળના સર્વે સાધુ સંતોએ આજરોજ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, ગાંધીનગર ખાતે પધારી ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલનું અભિવાદન કરી આશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઇ દલસાણીયા તથા પ્રદેશ પ્રવક્તાશ્રી ભરતભાઇ પંડયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલને સર્વે સંતો વતી આશીર્વચન પાઠવતા ભરૂચ નાહીયેર સ્વામિનારાયણ ગુરુકુળના ડી.કે.સ્વામીજીએ અયોધ્યા ખાતે ભવ્ય શ્રીરામ મંદિરના શિલાન્યાસ બદલ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો. કરોડો દેશવાસીઓનું વર્ષો જૂનું સ્વપ્ન પુર્ણ કરવા બદલ આ દેશની જનતા આજીવન ભારતીય જનતા પાર્ટીની આભારી રહેશે તેમ તેઓએ જણાવ્યું હતું.

ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલે તેમનું અભિવાદન કરી આશીર્વાદ આપવા બદલ તમામ સાધુ સંતોનું ઋણ સ્વીકાર કરતા જણાવ્યું હતું કે, મારુ સૌભાગ્ય છે કે, આજે આટલી મોટી સંખ્યામાં સાધુ સંતો આજે પોતાનો કિંમતી સમય કાઢીને મને આશીર્વાદ આપવા પધાર્યા.સૌ સંતશ્રીઓના આશીર્વાદથી હું ધન્યતા અનુભવું છું અને ઉપસ્થિત સૌ સંતગણનો સહૃદય આભાર વ્યક્ત કરું છું.

ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી  સી.આર.પાટીલ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેમજ તેમનાં કાર્યકાળમાં દરમ્યાન ભાજપા વધુ ઉંચાઈઓ સર કરે તેવા આશીર્વચન સાથે ભરૂચના શ્રી ડી.કે .સ્વામી, ગાંધીનગર ગુરુકુળના શ્રીરામ સ્વામી, કાંકરિયા મંદિરના શ્રી હરિઓમ સ્વામી, અખંડધામ મહેસાણાના શ્રી સ્વામી બ્રહ્માનંદ સાગર, શ્રી માધવાનંદ સ્વામી,  ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિરના શ્રી શાંતિ સ્વામી, કાલુપુર શ્રી સ્વામિનારાયણ મંદિરના શ્રી આનંદ સ્વામી, વડોદરા મંદિરના શ્રીરંગ સ્વામી, છારોડી ગુરુકુળના શ્રીકોઠારી સ્વામી, ગાંધીનગરના શ્રી અક્ષર સ્વામી સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતોએ આદરણીય પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલને આધ્યાત્મિક પુસ્તક આપી શાલ ઓઢાડી સ્વાગત સન્માન કર્યું હતું અને આશીર્વાદ આપ્યા હતા.

Related posts

સીએમ રૂપાણીએ જળ સંચય અભિયાનની જાહેરાત કરી

aapnugujarat

જમાલપુરમાં ગટર સાફ કરવા ઉતરેલા મજદૂરનું કરૂણ મોત

aapnugujarat

ગરવી ગુર્જરી આંતરરાષ્ટ્રીય બાયર-સેલર મીટનો પ્રારંભ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1