ભારતીય રેલવેમાં ૫૦૦૦થી વધુ પદો પર નોકરીની ખોટી જાહેરાત આપનાર એક પ્રાઇવેટ એજન્સી સામે કાર્યવાહી શરૂ કરી છે. એક મુખ્ય સમાચાર પત્રમાં પ્રકાશિત થયેલ જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે રેલવેની આઠ કેટેગરીમાં ૫,૨૮૫ પદવીઓ માટે આવેદનપત્રો મંગાવવામાં આવે છે. રેલવેએ ખુલાસો કર્યો છે કે આ પ્રકારની કોઈ પણ ખાનગી એજન્સીને તેમને રિક્રૂટમેન્ટ માટે પ્રમાણિત કરી જ નથી. રેલવેએ આ કેસની તપાસ શરૂ કરી છે અને આ બાબતે કાર્યવાહી ચાલુ થઈ છે.રેલ્વે મંત્રાલયના ધ્યાનમાં આવ્યું છે કે વેસ્ટ્રન ઈન્ફોટેકના નામથી એક સંસ્થાએ વેબસાઈટ એડ્રેસ ધરાવતા એક અગ્રણી અખબારમાં ૮ ઓગસ્ટે જાહેરાત આપી છે. જેમાં ૧૧ વર્ષના કરાર પર ભારતીય રેલ્વેના આઉટસોર્સિંગ આધારે આઠ કેટેગરીમાં પોસ્ટની કુલ સંખ્યા ૫,૨૮૫ ની સામે અરજીઓ મંગાવી હતી અને અરજદારોને રૂ .૭૫૦ / – ઓનલાઇન ફી જમા કરવા માટે કહેવામાં આવ્યું છે અને અરજીઓની પ્રાપ્તિ માટેની છેલ્લી તારીખ ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૦ નો ઉલ્લેખ કરવામાં આવી છે.રેલ્વેએ ખુલાસો કર્યો છે કે ભરતી માટેની જાહેરાત હંમેશાં ભારતીય રેલ્વે દ્વારા કરવામાં આવે છે. કોઈ પણ ખાનગી એજન્સીને આવું કરવા માટે સત્તા આપવામાં આવી નથી. આ પ્રકારે જાહેરાત આપવી ગેરકાનૂની છે. મંત્રાલયે કહ્યું કે રેલ્વે એજન્સી સામે કડક કાર્યવાહી કરશે. તેમાં સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે ભારતીય રેલ્વે પર જૂથ ‘સી’ ની વિવિધ કેટેગરી અને પૂર્વ જૂથ ‘ડી’ ની જગ્યાઓની ભરતી ફક્ત ૨૧ રેલ્વે ભરતી બોર્ડ (આરઆરબીએસ) અને ૧૬ રેલ્વે ભરતી સેલ (આરઆરસી) દ્વારા કરવામાં આવે છે, કોઈ અન્ય એજન્સી દ્વારા નહીં.ભારતીય રેલ્વેમાં ખાલી જગ્યાઓ સેન્ટ્રલાઇઝ્ડ એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન (સીઈએનએસ) દ્વારા વિશાળ પ્રસિદ્ધિ આપીને ભરવામાં આવે છે. દેશભરના પાત્ર ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. સીઈએન રોજગાર સમાચાર દ્વારા પ્રકાશિત થાય છે અને રાષ્ટ્રીય દૈનિક અને સ્થાનિક અખબારોમાં સૂચક નોટિસ આપવામાં આવે છે. આરઆરબી / આરઆરસીની સત્તાવાર વેબસાઇટ્સ પર પણ પ્રદર્શિત થાય છે. આ એક બોગસ ભરતી છે. જેથી કોઈપણ બેરોજગારે આ જાહેરાતની લાલચમાં આવી જઈને ભરતી માટે ફી ના ભરવી.