હાલ રાજ્ય સહિત દેશભરમાં કોરોનાનો કહેર કૂદકેને ભૂસકે વધી રહ્યો છે. ત્યારે ગોધરાના વોર્ડ નં-૧૧ના ભાજપના કોર્પોરેટર નિમેશ શાહનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યું થયુ છે. વડોદરાની હૉસ્પિટલમાં તેઓ છેલ્લા એક અઠવાડિયાથી દાખલ હતા. તેમના છેલ્લા સમયે શ્વાસની તકલીફ વધી જતા તેઓએ આજે સવારે અંતિમ શ્વાસ લીધા હતા.ગોધરાના વોર્ડ નં-૧૧ના ભાજપના કોર્પોરેટર નિમેશ શાહમાં કોરોનાના લક્ષણો દેખાતા તેમનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેઓને પહેલા ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે તેમને વડોદરાની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક અઠવાડિયાથી સારવાર ચાલતી હતી. નોંધનીય છે કે, ગોધરા શહેર ભાજપ પ્રમુખ મહેશ હરુમલાણી અને ગોધરા શહેર ભાજપના મહામંત્રી પવન સોનીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બંનેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ થોડા દિવસમાં સાજા થઇ ગયા હતા.પંચમહાલ જિલ્લામાં કોરોનાના કેસનો કુલ આંક ૭૧૧ ઉપર પહોંચ્યો છે. જે પૈકી ૫૦૩ પુરૂષો અને ૨૦૮ મહિલાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૪૩૯ દર્દીઓ રિકવર થયા છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ