Aapnu Gujarat
મનોરંજન

‘આર્ય’ એ વ્યક્તિગત જીત છે : સુષ્મિતા સેન

અભિનેત્રી સુષ્મિતા સેન માટે, આર્ય એક વ્યાવસાયિક જીત નથી, પરંતુ વ્યક્તિગત જીત છે. સુષ્મિતાએ કહ્યું, “આર્ય” એ વ્યક્તિગત જીત છે. તે આશ્ચર્યજનક છે કે મને નિરાશાના સ્તરો માં અતિક્રમણ કરવામાં, પોતાની પીઠ થપથાપવામાં અને પોતાને યાદ કરાવવા કે આપણો પણ સમય આવશે એના માટે મને કેટલો સમય લાગ્યો. “
આ શો વિશે વાત કરતાં સુષ્મિતાએ કહ્યું, “બ્રહ્માંડ એ આ શો ને મારા માર્ગમાં આવવા માટે જાણે કેમ કાવતરું ન રચ્યું હોય! આની સ્ક્રિપ્ટ અને શ્રેષ્ઠ દિગ્દર્શક રામ માધવાણી અને તેની તેજસ્વી ટીમ સાથે જોડાવુએ મારા માટે ખૂબ જ ખુશી ની વાત છે. અમે ઘણી વખત એકસરખુ વિચારીએ છીએ. ‘આર્ય’ એક પાત્ર છે જેમાં ઘણા રહસ્યો છે. અમે હજી શોની પહેલી સીઝનમાં પાત્રને પૂરેપૂરુ જાણી શક્યાં નથી અને આ વાર્તા પાંચમી સીઝન સુધી લખાયેલી છે. ”

તેમણે ઉમેર્યું, “મારી કારકિર્દીમાં પહેલી વાર આ બન્યું જ્યારે હું ગર્વથી કહી શકું કે મારા આ શોમાંથી મારા પ્રિય ભાગ ને પસંદ કરવાનું મારા માટે કેટલું મુશ્કેલ છે.” આવી ઘણી ક્ષણો આવી જ્યારે હું ભૂલી ગઇ કે તે હું જ છું અને મને ‘આર્ય’ ઘણી પસંદ આવી.તેમાં ઘણી બધી બાબતો છે જે મારામાં પહેલેથી જ છે અને બીજી જેને હું મેળવવા ઇચ્છુ છું. ‘આર્ય’ એ માત્ર એક પરફોર્મન્સ નહીં પણ ભાવના છે. “

Related posts

પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢા સાથે લગ્નનો સવાલ પૂછાતાં જ શરમાઈ

aapnugujarat

पायल घोष ने महाराष्ट्र के गृहमंत्री से मांगी वाई-स्तरीय सुरक्षा

editor

અમારા લગ્નથી અજયના પરિવારજનો ખુશ ન હતા : કાજોલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1