કાજોલની ફિલ્મ કુછ કુછ હોતા હેએ ૨૦ વર્ષ પૂર્ણ કરી લીધા છે. કરણ જોહરે આ ખાસ દિવસે આલીશાન પાર્ટી રાખી. જેમા કાજોલ સહિતના ફિલ્મ સ્ટાર કાસ્ટ નજરે પડ્યા. હાલમાંજ કાજોલે નેહા ધુપિયાના ચેટ શોમાં હાજરી આપી. આ દરમ્યાન તેમને ફિલ્મથી લઇને પર્સનલ લાઇફ સુધીની વાતો કરી. નેહાના શોમાં કાજોલે અજય દેવગનની સાથે લગ્નના સમયની કેટલીક વાતો પણ શેર કરી. તેને જણાવ્યું કે કોઇ પણ અમારા લગ્નથી ખુશ ન હતા. મારા પરિવાર વાળા સિવાય અજયના પરિવારજન આ લગ્નથી ખુશ ન હતા. જ્યારે મારા પિતાને મે આ વાત જણાવી કે હું લગ્ન કરવા માંગુ છુ તો તે દુખી થઇ ગયા અને તેમને મારી સાથે એક અઠવાડિયું વાત ન કરી. તેમને કહ્યું કે તું કેમ લગ્ન કરવા માંગે છે. તુ હાલ જવાન છે અને તારુ કરિયર પણ સારુ ચાલી રહ્યું છે. હુ અને અજય ખૂબ જ અલગ છીએ. ઘણા લોકએ અમને સાથે જોયા છે પરંતુ સમજ્યા નથી.
અમે લોકોએ સાથે કામ કર્યું અને અમારા રિલેશનશિપની તાલમેલ બનાવી. અમે બન્ને મળીને એક જ છીએ અને અમારા બન્ને બાળક અમારા હાથ. જણાવી દઇએ કે બન્ને કલાકાર ૨૪ ફેબ્રુઆરી, ૧૯૯૯એ લગ્નના બંધનમાં બંધાઇ ગયા હતા. કાજોલે શોમાં તેના બાળકો અંગે પણ વાત કરી કે તેમના બાળકોને તેમની ફિલ્મ સારી લાગતી નથી. તે લોકો કાજોલ અને અજયની ફિલ્મની જોવાનું પસંદ કરતા નથી.
પાછલી પોસ્ટ