Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગર જી.એમ.ઈ.આર.એસ. નર્સિંગ સ્ટાફને સન્માનપત્ર અર્પણ કરાયા

સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું છે ત્યારે આ લડાઇના પ્રથમ હરોળના યોધ્ધા એટલે આપણા ડૉક્ટરો અને નર્સો હાલમાં દિવસ રાત કોરોનાના દર્દીઓની સેવા કરી રહ્યા છે. પોતાની અને પોતાના પરિવારની પણ દરકાર કર્યા વગર ખડે પગે નસિઁગ સ્ટાફ પોતાની ફરજ નિભાવી રહ્યો છે. આ યોદ્ધાઓ દ્વારા કરવામાં આવતી સેવાની કદર અને પ્રોત્સાહન પૂરૂ પાડવા માટે ટ્રેઇન નર્સ એસોસીએશન દ્વારા આ નર્સિંગ સ્ટાફનું સન્માન કરવા માટે તેમને કોવિડ-૧૯ યોદ્ધાના પ્રસંશાપત્ર આપવા આવ્યા હતા. હિંમતનગર જી. એમ. ઈ. આર. એસ. જનરલ હોસ્પિટલના તમામ નસિઁગ સ્ટાફને જી.એમ.ઈ. આર. એસ. જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. ગાંધી, આર.એમ.ઓ.ડૉ. એન.એમ.શાહની હાજરીમાં સમગ્ર નર્સિંગ સ્ટાફનું સન્માનપત્ર આપી બિરદાવામાં આવ્યા હતા.આ પ્રસંગે જી.એન.સી.ના ઈકબાલ કડીવાલા, જી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલના મેટ્રન અરુણા રાઠોડ, ટીએનએઆઈના ઉત્તર ગુજરાતના પ્રતિનિધિ જ્યોત્સના ચૌધરી, અને અન્ય સ્ટાફે ઉપસ્થિતિ રહી સમગ્ર નર્સિંગ સ્ટાફનો જુસ્સો વધાર્યો હતો.

(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

દિયોદર માં પંડિત દિન દયાળ સસ્તા અનાજની દુકાનો પર શાંતિપૂર્ણ માહોલમાં અનાજ નું વિતરણ….

editor

ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છને પાણી આપવાનું કામ કરવાં આવશે, 4365 કરોડની રકમ ફાળવવામાં આવી

aapnugujarat

શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1