પાટણ શહેરમાં અતિ પ્રાચીન લીંબચ માતાનું મંદિર આવેલુ છે જે લીંબાચીયા સમાજની આસ્થાનું કેન્દ્ર કહેવાય છે. આ મંદિરમાં દર ચૈત્રી આઠમના દિવસે હજારો શ્રદ્ધાળુઓ માતાના દર્શનાર્થે ઉમટી પડે છે. અતિ પ્રાચીન મંદિરથી ૧૮ ફેબ્રુઆરીના દિવસે મા લિંબચનો રથ લઈ માના ભક્તો લગભગ ૨૦૦ ગામ ફરશે અને પાટણવાડાના ત્રણ શહેર અમદાવાદ સુરત અને મુંબઈ સુધી રથયાત્રા જશે અને ગામેગામ ફરીને લિમ્બાચિયા સમાજના લોકોને માના દર્શનનો લાભ ઘેર બેઠા મળશે.
આ રથ બે મહિના સુધી યાત્રા કરી પાટણ પરત ફરશે. રથના કન્વીનર રમેશભાઈ અને બાવન વિભાગના પ્રમુખ ડોકટર નટવરભાઈના જણાવ્યા પ્રમાણે આ યાત્રામાં અમારા મુખ્ય મુદ્દાઓ વ્યસન મુક્તિ અને બેટી બચાવો અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ પણ કરવામાં આવશે અને સમાજની અખંડિતા સચવાય આપણો દેશ અને સમાજ પ્રગતિના શિખરો સર કરે તેવી મા પાસે પ્રાર્થના કરવામાં આવશે.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)