Aapnu Gujarat
સ્વસ્થતા

રાતે વારંવાર પેશાબ કરવા જવાથી કંટાળી ગયા છો? અપનાવો આ ઉપાય

શું તમને રાતે બહુ બધી વાર મુત્રત્યાગ કરવા માટે હમેશાં જવું પડે છે. શું તમે દર બે કલાકે બાથરૂમ જવા માટે રાત્રે જાગો જ છો. અને આના લીધે તમારી ઊંઘ પણ નિયમિત બગડે છે. તો આ તકલીફ એક બિમારી તરફ ઇશારો કરી રહી છે. સાામાન્ય રીતે આ બિમારી વધારે મોટી ઉંમરના લોકોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. વધુમાં જો તમે ગર્ભવતી હોવ તો આ વાત નોર્મલ છે. વારંવાર પેશાબની આ બિમારીનો ઉપચાર અમે તમને આજે આર્ટિકલમાં  જણાવીશું.

સૌથી પહેલા આ વાત જાણી લો કે રાત્રે બે વારથી વધુ પેશાબ જવા માટે જાગવું સામાન્ય વાત છે. પણ બે વારથી વધુ વાર આવું પણ થાય છે. અને નિયમિત આ તકલીફ પણ રહે છે તો પહેલા તો તમારે ડાયાબિટીજ, બ્લડ પ્રેશર, પ્રોસ્ટેટ કેન્સર જેવી બિમારીઓ માટે ડોક્ટરી સલાહ લેવી અગત્યની છે. અને રિપોર્ટ પ્રમાણે ડોક્ટરની સલાહ લઇ શકો છો.

સામાન્ય રીતે જો રાતે વધુ પ્રમાણમાં પાણી પી લીધુ હોય કે કોઇ કારણસહ કિડનીમાં વધુ તરળ પદાર્થ જાય છે તો આ તકલીફ થાય છે.

અડધી રાત્રે વારંવાર ટાયલેટ જવાની સમસ્યાને નોક્ચુરિયા કહે છે. 50 વર્ષ પછીના દર્દીઓમાં આ વધુ જોવા મળે છે. આમ તો મોટાભાગના લોકો તેને સામાન્ય ઉંમરમાં આ બિમારી રહે છે. પણ ડોક્ટરનું માનવું છે કે ઓછી ઊંઘના કારણે વ્યક્તિ તનાવગ્રસ્ત કે ચીડચીડયો થઇ જતો હોય છે.

નોક્ચુરિયાની બિમારીથી જો તમે પણ વધુ હેરાન તથા હોવ તો રાતે તરલ આહાર લેવાનું બને એટલું ઓછું કરી દો. તેની સાથે જ મસાલેદાર ભોજન, દારૂનું સેવન કરવાનું છોડી દો. વધુમાં તેવી કસરત કરો જેનાથી તમારો પેલ્વિક વિસ્તાર મજબૂત થાય. એટલે કે લોબર એબ્સની કસરત તમારે વધુ કરવી જોઇએ.

Related posts

ક્યારેય ભૂલથી પણ ખાલી પેટે ન પીવો વધુ પાણી, થઈ શકે છે આ ગંભીર બીમારી

aapnugujarat

શું તમને પણ એસિડિટી ની તકલીફ છે, અપનાવો આ ટિપ્સ – જડમૂળથી થઈ જશે દૂર

aapnugujarat

New York’s first women-only boxing club is here

aapnugujarat

Leave a Comment

UA-96247877-1