Aapnu Gujarat
રાષ્ટ્રીય

દિયોદર આરોગ્ય વિભાગ દ્વારા વિધુત બોર્ડના કર્મીઓને આરોગ્યલક્ષી માહિતી અપાઈ

દિયોદર આરોગ્ય વિભાગ દ્વારા દિયોદર ઠાકોર બૉર્ડિંગ ખાતે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિયોદર યુ.જી.વી.સી એલ. વિધુત બોર્ડના તમામ હેલ્પર તેમજ કર્મચારીઓને આરોગ્ય વિષે માહિતગાર કરવામાં આવ્યાં હતાં જેમાં ઈલેક્ટ્રિક દ્વારા એકાએક કરંટ લાગવાથી હૃદય ધબકતું બંધ થાય ત્યારે શું કરવું તે અંગે દિયોદર બ્લોક હેલ્થ ઓફિસર બ્રિજેશ વ્યાસ દ્વારા માણસને આ સમયે તાત્કાલિક ધોરણે સ્થળ ઉપર અન્ય કર્મચારી દ્વારા કેવી રીતે હૃદય ધબકતું કરવું અને માણસને કઈ રીતે બચાવી શકાય તે અંગે પ્રેક્ટીકલ બતાવી માહિતીગાર કરવામાં આવ્યાં હતાં. આ બાબતે ઓફિસર બ્રિજેશ વ્યાસે જણાવેલ કે વિધુત બોર્ડના કર્મચારીઓને આજે એક વર્કશોપ દ્વારા ગંભીર ઘટના સમયે માણસ અન્ય માણસને કઈ રીતે બચાવી શકે તે અંગેની માહિતી આપવામાં આવી છે. કાર્ડિયોપલ્મોનરી રીસસીટેસન અર્થાત સીપીઆર કહેવામાં આવે છે જે અંગે કર્મચારીને માહિતીગાર કરવામાં આવ્યાં છે અને અન્ય આરોગ્યવિષયક માહિતગાર કરવામાં આવ્યા છે જેમાં મોટાભાગના કર્મચારી હાજર રહ્યા હતા.
તસ્વીર/ અહેવાલ રઘુભાઈ નાઈ દિયોદર, બનાસકાંઠા

Related posts

वॉयस सैंपल की रिपोर्ट आई पॉजिटिव, बढ़ सकती हैं अनंत सिंह की मुश्किलें

aapnugujarat

Nearly 650 govt-employed doctors resign in West Bengal

aapnugujarat

નાનાં શહેરોમાં સસ્તામાં ડેટાથી પોર્ન જોનાર લોકોની સંખ્યા વધી રહી છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1